Sunday, June 7, 2009

ઉફફફ આ બોર્ડ ની પરીક્ષા

હમણાં મુંબઈ માં ૧૦ માં ની બોર્ડ ચાલે છે..કાલે એમની ભૂગોળ ની પરીક્ષા હતી..અમારા જ ગામ માં ઘાટકોપર માં જ એક દીકરી એ કોપી કરતા પકડાણી અને એની હોલટીકીટ લઈ લેવામાં આવી ..કદાચ ખાલી ડરાવવા માટે લીધી હોય કે જે હોય એ..પણ એ દીકરી એટલી ડરી ગઈ કે એણે ૧૦ માં માળે જઈને અગાસી માં થી પડતું મૂક્યું અને મૃત્યુ પામી ..અમે કોઇ સુઈ નથી શક્યાં..કે આ શું છે ??આટલું શું કામ ચીંતા..શું ૧૦ મુ ધોરણ એ જિંદગી ની છેલ્લી પરીક્ષા છેં..મહેરબાની કરીને બધાં બાળકો ને પણ કહુ છું કે જિંદગી બહુ મોટી છે અને એમાં લાખો રસ્તા છેં..આજે ભણેલા ઓ પણ રસ્તે ફરે છેં..તો આવુ કોઇ પગલું ના ભરતા..માતા પિતા ની શું હાલત થાય છે તમને ખબર નથી..જિંદગી માં જ્યારે પણ આવા વિચાર આવે કોઇક ને ફોન કરો એમની સાથે વાત કરો..કોઇ માતા પિતા માટે તમારથી વધારે પરીક્ષા નહી હોય...મહેરબાની કરીને આવુ પગલું કોઇ ન ભરતા...એમનાં માતા પિતા નાં નહી પણ અમારાં આંસું પણ નથી સુકાતા કાલ થી...મારી દીકરી પણ આ જ વર્ષે ૧૦ માં ની પરિક્ષા આપે છે..
સાથે બધાં બાળકો ને પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભકામના.ને આશીર્વાદ..ગુજરાત નાં બધા બાળકો ને પણ શુભકામના...
અને મમ્મી પપ્પા ને વિનંતી કે જરા સંભાળજો...


નીતા કોટેચા...

પણ આજે બધા મનાવશે સ્ત્રી મુક્તી દિન ..સારુ ચલો આપણે પણ મનાવીયે

સ્ત્રીમુક્તી દિન્..
કેવો અજબ લાગે ને આ શબ્દ...
કે સ્ત્રી ઓ ને હજી મુક્તી દિન માટે રાહ જોવી પડે છે...
અને પાછુ એમાં પણ સ્ત્રી ઓ એ સાંભળવુ પડે કે કમાવાની લાલચ માં સ્ત્રીત્વ ગુમાવે છેં..
પહેલા કહેવાતુ કે સ્ત્રી ઓ ઘર સંભાળે અને પુરુષો કમાઈને લાવે...
હવે તો પરણવા નીકળતા પહેલા દાદા કોણ હતા અને મામા કોણ હતા એ નથી પુછાતુ..કઈ કંપની મા કામ કરે છે અને પગાર કેટલો છે દીકરી નો, એમ પુછાય છેં..
આ સુધરેલો સમાજ ..પહેલા પોતે જ બહાર મોકલાવે અને પછી પોતે જ કહેતા હોય છે કે આજ કાલ તો બધાને બસ કમાવુ છે ..હવે પહેલા જેવા દિવસો ક્યાં..
બધી સ્ત્રી ઓ ને વિનંતી કે આપણે એક બીજા ને માન આપીયે તોય સારુ ..નહી તો સાસુ ઓ હજી પણ વહુ ની બુરાઇ કરતી હોય છે અને એમાં પુરુષો ફાયદો ઉપાડતા હોય છે...
અરે શું કામ ઉજવો છો ..સ્ત્રી ઓ જેવી પહેલા ગુલામ હતી એવી જ આજે છે..કાંઇ જ ફરક નથી ...
બસ હવે કમાવા સાથે ગુલામ છે.પહેલા ઘરમાં બેસીને ગુલામ હતી..
આજે પણ સ્ત્રી ઓ પર એટલી જ બુમા બુમી થાય છે..એટલા જ મેણા ટોણા મરાય છેં..
હજી આજે પણ ભાઇ નાં, પપ્પા નાં અને પતિ ના મુડ પર એનો દિવસ સારો જશે કે નહી એ આધાર રાખે છે...
આજે પણ એ સાસરા વાળા ઓ થી ગભરાય છે..
પોતાની મરજી ના હિસાબે એ જરા પણ જીવી નથી શક્તી..
બધી વાતો છે...ખોટા દિવસો ઉજવવવાનું બંધ કરો...
પુરુષ પ્રધાન દેશ નહી પણ પુરુષ પ્રધાન દુનિયા છેં...
હમણા જ એક બહેન પાસેથી સાંભળ્યું ,એ બેંક માં મેનેજર છેં...
બહુ રુબાબ છે એનો બેંક માં ..બધા સાથે પ્રેમ થી કામ લે છે ..પણ તોય લોકો એને માન પણ આપે છે અને કમાય પણ સારુ એવુ...
પણ ઘરે આવે એટલે ધમપછાડા હોય..
જગડા જ જગડા હોય..
જરા પણ શાંતી નથી જિંદગી માં..
હવે એ કેવી રીતે મનાવે સ્ત્રીમુક્તી દીન ..જો એક દિવસ કોઇ મનાવે તો પણ અને કઈ રીતે ખુશ થાય . ..કોઇ એને કહેતુ નથી કે કામ મુકી દે અને બધા એની પર બુમો પણ પાડે છે કે તુ કામ કરે છે એટલે ઘર આખું અસ્તવ્યસ્ત છે...
સ્ત્રી ઓ પોતાનું માન પોતે જ જાળવવુ જોઇયે એવુ પણ કહેવાય છે કેવી રીતે??
નાના મા નાના કામ માટે હજી ઘર ના ઓની રજા લેવી પડતી હોય છે..
બધી વાતો છે...
નાની નાની વાતો છે પણ બહુ ઓછી જગ્યાએ નારી પોતાનું ચલાવે છેં...
આજે પણ દીકરી ને પરણાવતા વખતે દીકરા વાળા ઓ ને બોલતા સાંભળ્યું છે કે અમારે ભણાવવાનો બહુ ખર્ચ થયો છેં...
આજે પણ T.V માં બાલીકા બધુ અને લાડો જેવી સીરીયલ દેખાડવા માં આવે છે શું કામ ??
કારણ હજી ક્યાંક ને ક્યાંક આ બધુ ચાલે છે..અને આ સીરીયલ જોઈયે છે ત્યારે માનસિક આઘાત લાગે છે કે આ શું??
ચલો નસીબ સારા કે આપણે આ નથી જોવુ પડતુ પણ ક્યાંક તો આ ચાલે છે જ ને..
આજે પણ સંભળાય છે કે દીકરી ૨૧ વર્ષ ની થાય એટલે પરણાવી દેવી જોઈયે ...કમસેકમ નક્કી તો કરી જ નાખવું જોઇયે...
અરે પણ જીવવા દ્યો એને...
એક દીકરી નો જીવવાનો હેતુ શું એક જ છે કે એને પરણાવી દેવી જોઇયે...
ક્યાંક કાંઇ ફરક નથી પડ્યો...
બધે બાજુ જેમ આડંબર ની દુનિયા છે એમજ અહીયા પણ એ જ દુનિયા છે...
એટલા બધા સાચ્ચા ઉદાહરણ છે કે જે જો બધા સાંભળે તો એમ થાસે કે આવુ પણ હજી બને છે જિંદગી માં??
પણ હા હજી સ્ત્રી ઓ સાથે એટલા અત્યાચાર થાય છે કે અરેરાટી થઈ જાય...
અને પાછું મારું લખાણ વાંચીને બધા કહેશે કે નીતા બહેન તમે બસ આવુ જ લખો.
પણ શું કરું મારાથી નથી રહેવાતુ ચુપ અને નથી જીવાતી ખોટી દેખાડાની દુનિયા...
પણ હવે દિવસ આવ્યો છે તો બધી બહેનો તો એકબીજા નું માન વધારી જ શકે છે ને...
પણ આજે બધા મનાવશે સ્ત્રી મુક્તી દિન ..સારુ ચલો આપણે પણ મનાવીયે..


નીતા કોટેચા...

પણ આજે બધા મનાવશે સ્ત્રી મુક્તી દિન ..સારુ ચલો આપણે પણ મનાવીયે

સ્ત્રીમુક્તી દિન્..
કેવો અજબ લાગે ને આ શબ્દ...
કે સ્ત્રી ઓ ને હજી મુક્તી દિન માટે રાહ જોવી પડે છે...
અને પાછુ એમાં પણ સ્ત્રી ઓ એ સાંભળવુ પડે કે કમાવાની લાલચ માં સ્ત્રીત્વ ગુમાવે છેં..
પહેલા કહેવાતુ કે સ્ત્રી ઓ ઘર સંભાળે અને પુરુષો કમાઈને લાવે...
હવે તો પરણવા નીકળતા પહેલા દાદા કોણ હતા અને મામા કોણ હતા એ નથી પુછાતુ..કઈ કંપની મા કામ કરે છે અને પગાર કેટલો છે દીકરી નો, એમ પુછાય છેં..
આ સુધરેલો સમાજ ..પહેલા પોતે જ બહાર મોકલાવે અને પછી પોતે જ કહેતા હોય છે કે આજ કાલ તો બધાને બસ કમાવુ છે ..હવે પહેલા જેવા દિવસો ક્યાં..
બધી સ્ત્રી ઓ ને વિનંતી કે આપણે એક બીજા ને માન આપીયે તોય સારુ ..નહી તો સાસુ ઓ હજી પણ વહુ ની બુરાઇ કરતી હોય છે અને એમાં પુરુષો ફાયદો ઉપાડતા હોય છે...
અરે શું કામ ઉજવો છો ..સ્ત્રી ઓ જેવી પહેલા ગુલામ હતી એવી જ આજે છે..કાંઇ જ ફરક નથી ...
બસ હવે કમાવા સાથે ગુલામ છે.પહેલા ઘરમાં બેસીને ગુલામ હતી..
આજે પણ સ્ત્રી ઓ પર એટલી જ બુમા બુમી થાય છે..એટલા જ મેણા ટોણા મરાય છેં..
હજી આજે પણ ભાઇ નાં, પપ્પા નાં અને પતિ ના મુડ પર એનો દિવસ સારો જશે કે નહી એ આધાર રાખે છે...
આજે પણ એ સાસરા વાળા ઓ થી ગભરાય છે..
પોતાની મરજી ના હિસાબે એ જરા પણ જીવી નથી શક્તી..
બધી વાતો છે...ખોટા દિવસો ઉજવવવાનું બંધ કરો...
પુરુષ પ્રધાન દેશ નહી પણ પુરુષ પ્રધાન દુનિયા છેં...
હમણા જ એક બહેન પાસેથી સાંભળ્યું ,એ બેંક માં મેનેજર છેં...
બહુ રુબાબ છે એનો બેંક માં ..બધા સાથે પ્રેમ થી કામ લે છે ..પણ તોય લોકો એને માન પણ આપે છે અને કમાય પણ સારુ એવુ...
પણ ઘરે આવે એટલે ધમપછાડા હોય..
જગડા જ જગડા હોય..
જરા પણ શાંતી નથી જિંદગી માં..
હવે એ કેવી રીતે મનાવે સ્ત્રીમુક્તી દીન ..જો એક દિવસ કોઇ મનાવે તો પણ અને કઈ રીતે ખુશ થાય . ..કોઇ એને કહેતુ નથી કે કામ મુકી દે અને બધા એની પર બુમો પણ પાડે છે કે તુ કામ કરે છે એટલે ઘર આખું અસ્તવ્યસ્ત છે...
સ્ત્રી ઓ પોતાનું માન પોતે જ જાળવવુ જોઇયે એવુ પણ કહેવાય છે કેવી રીતે??
નાના મા નાના કામ માટે હજી ઘર ના ઓની રજા લેવી પડતી હોય છે..
બધી વાતો છે...
નાની નાની વાતો છે પણ બહુ ઓછી જગ્યાએ નારી પોતાનું ચલાવે છેં...
આજે પણ દીકરી ને પરણાવતા વખતે દીકરા વાળા ઓ ને બોલતા સાંભળ્યું છે કે અમારે ભણાવવાનો બહુ ખર્ચ થયો છેં...
આજે પણ T.V માં બાલીકા બધુ અને લાડો જેવી સીરીયલ દેખાડવા માં આવે છે શું કામ ??
કારણ હજી ક્યાંક ને ક્યાંક આ બધુ ચાલે છે..અને આ સીરીયલ જોઈયે છે ત્યારે માનસિક આઘાત લાગે છે કે આ શું??
ચલો નસીબ સારા કે આપણે આ નથી જોવુ પડતુ પણ ક્યાંક તો આ ચાલે છે જ ને..
આજે પણ સંભળાય છે કે દીકરી ૨૧ વર્ષ ની થાય એટલે પરણાવી દેવી જોઈયે ...કમસેકમ નક્કી તો કરી જ નાખવું જોઇયે...
અરે પણ જીવવા દ્યો એને...
એક દીકરી નો જીવવાનો હેતુ શું એક જ છે કે એને પરણાવી દેવી જોઇયે...
ક્યાંક કાંઇ ફરક નથી પડ્યો...
બધે બાજુ જેમ આડંબર ની દુનિયા છે એમજ અહીયા પણ એ જ દુનિયા છે...
એટલા બધા સાચ્ચા ઉદાહરણ છે કે જે જો બધા સાંભળે તો એમ થાસે કે આવુ પણ હજી બને છે જિંદગી માં??
પણ હા હજી સ્ત્રી ઓ સાથે એટલા અત્યાચાર થાય છે કે અરેરાટી થઈ જાય...
અને પાછું મારું લખાણ વાંચીને બધા કહેશે કે નીતા બહેન તમે બસ આવુ જ લખો.
પણ શું કરું મારાથી નથી રહેવાતુ ચુપ અને નથી જીવાતી ખોટી દેખાડાની દુનિયા...
પણ હવે દિવસ આવ્યો છે તો બધી બહેનો તો એકબીજા નું માન વધારી જ શકે છે ને...
પણ આજે બધા મનાવશે સ્ત્રી મુક્તી દિન ..સારુ ચલો આપણે પણ મનાવીયે..


નીતા કોટેચા...

મનન

આજે મનન ને તાવ આવે ચાર દિવસ થઈ ગયા..પણ તાવ ઉતારવાનું નામ જ ન હોતો લેતો.. હવે સ્વપ્નીલ અને સંધ્યા થી સહન નહોતુ થતુ..આખરે એમણે DR. ને કહ્યુ હવે આપણે મનન ને હોસ્પિટલ માં દાખલ કરીયે તો કેમ રહેશે??
Dr. એ ના પાડી કે ના એવી કોઇ જરુરત નથી..ઉતરી જશે..
પણ હવે બન્ને માન્યા નહી અને મનન ને સારા મા સારી હોસ્પીટલ માં દાખલ કરવા મા આવ્યો..
ઉમર નાની હતી..ખાલી સાત વર્ષ નો હતો મનન..
મનન ને સરખી રીતે હોંશ નહોતો આવતો...
નીંદર મા એનો બબડાટ ચાલુ જ હતો...
શું બોલતો હતો કોઇને ખબર પડતી ન હતી....
આખરે Dr।માતા પિતા ને પોતાની off॥ માં બોલાવ્યાં॥અને પુછ્યું કે "મને સમજાવો કે જ્યારે એને તાવ આવ્યો॥એનાં આજુબાજુ નાં દિવસો માં તમારા ઘરમાં શું શું થયું હતુ??
સ્વપ્નીલ એ કહ્યુ "એવુ કાંઇ ખાસ નહોતુ થયું..બસ અમારા બન્ને વચ્ચે નો ઝગડો થયો હતો..એ તો ચાલે રાખે...
Dr.. ભડકી ગયા..."ચાલે રાખે એટલે..તમારી કાંઇ જવાબદારી છે કે નહી...તમને કાંઇ અક્કલ છે કે નહી...ઝગડૉ શુ હતો એ મને કહો હવે....."
સ્વપ્નીલ શાંત થઈ ગયો...એણે કહ્યુ "એ દિવસે મારી પત્ની નાં પિયર મા મારા સાસરા વાળા ઓ એ પુજા રાખી હતી...અને અમારા વચ્ચે ઝગડો હતો કે આમંત્રણ આપવા માટે કોનો ફોન આવ્યોં?? અને સંધ્યા એ મને કહ્યું કે તમને જોઇયે તો મનન ને પૂછી લ્યો કે મમ્મી અને પપ્પા બન્ને નો ફોન આવ્યો હતો..અને મે મનન ને હચમચાવી નાંખ્યો હતો કે સાચુ બોલ,મમ્મી એ જ તને ખોટુ બોલવાનું કહ્યુ હશે... અને એ ડરી ગયો અને એની મમ્મી ની પાછળ છુપાઈ ગયો હતો...અને અમે પૂજા માં ગયા નહી ..અને સંધ્યા રડતા રડતા સુઇ ગઇ.....રાતના અમે સુઈ ગયા અને સવારનાં જોયુ તો મનન ની આવી હાલત હતી..."
અને Dr..એ જોરથી ટેબલ ઉપર હાથ પછાડી ને કહ્યુ, "તમારા લોકો માં અક્કલ છે કે નહી ..તમારી વાત ને સાચ્ચી અને ખોટી કરવા માટે તમે એક બાળક નો સહારો લીધો...શરમ આવવી જોઇયે તમને બન્નેને.."
સ્વપનીલ અને સંધ્યા ને પોતાની ભુલ સમજાણી...
મનન નો તાવ હજી ઉતરતો ન હતો...
છેલ્લે Dr. એ કહ્યું આનો એક જ રસ્તો છે...તમે તમારી પત્ની નાં પિયરીયા ને બોલાવો..અને એ સાંભળે એમ હસતા હસતા વાતો કરો..
સ્વ્પનીલ સાસરે ગયો...સાસુ સસરા ની માફી માંગી અને Dr... એ કહેલી બધી વાત કહી..એનાં સાસુ સસરા તરત જ એની સાથે હોસ્પિટલ માં પહોચ્યાં અને જેમ Dr..એ કહ્યુ હતુ એમ જ એ લોકો એ કર્યું...
અને મનન ને તો પણ બીજા ત્રણ દિવસ સારા થવામા નીકળી ગયા...
સારુ થયા પછી પહેલો સવાલ મનન નો હતો કે...પપ્પા ગુસ્સા માં નથી ને મમ્મી..???
પણ હવે એની તબીયત એકદમ સારી હતી...આજે રજા લેવાની હતી...
સ્વપ્નીલ અને સંધ્યા DR..પાસે ગયા...DR..એ કહ્યું તમારી માટે જે નાની વાત છે એ બાળકો માટે બહુ મોટી વાત હોય છેં..એ લોકો ઝગડા સહેન નથી કરી સક્તા...
તો મહેરબાની કરીને સંભાળજો....
એ દિવસ થી એમને જીવવાની રીત બદલાવી નાંખી અને હંમેશ ઘર માં ખુશ્ખુશાલ વાતાવરણ રાખવા લાગ્યાં...
બાળકો ને ખુબ જ પ્રેમ થી ઉછેરવુ જરુરી છે....
આપણાં અભિમાન માં અને માન અપમાન નાં ચક્કર માં બાળકો પિસાતા હોય છેં અને આપણને ખબર પણ પડતી નથી હોતી...
બાળકો નાં મન ને વાંચી ને જિંદગી જીવવુ જરુરી છે...નહી તો પ્રભુ એ આપેલુ ફુલ કરમાઈ જતા વાર નહી લાગે...અને એ અપમાન આપણે પ્રભુ નું કર્યુ કહેવાશે...


નીતા કોટેચા...

સંબંધ

આજકાલ લગન નાં દિવસો ચાલી રહયાં છેં..એક એક પ્રસંગ માં જઈયે ત્યારે દુખી થવાય છે જ્યારે જોઈયે કે એ જ ઘર નો એક ભાઈ ન ત્યાં હાજર ન હતો..અને ક્યાંક જોવા મળે કે કોઇની બહેન નહોતી ...ક્યાંક તો માતા પિતા જ હાજર ન હોય...ત્યારે જે લખાઈ જાય છે એ લખ્યું છેં..જો આ લેખ વાંચીને કોઇ એક ઘર નો સંબધ પણ પાછો પહેલા જેવો થઈ જશે તો મને આંનદ થાશે..જોડણી ની ભુલ ન જોતા..વાત ને સમજવા ની કોશીષ કરશો તો મને વધારે ગમશે..બધા પોતાનાં સગા ઓ ને આઅ લેખ મોકલાવજો જેની સાથે તમારે સંબધ ટુટી ગયો હોય કદાચ બધુ સારુ થઈ જાય..બસ થોડુ જતુ કરવાની ભાવના આપણે પણ રાખવી જ પડશે..સંબંધો એ શમણા રચાવ્યા બહુ હતા...અને હવે સંબધો મ્રુત્યું પામ્યા છે બધા..સંબંધો ને સાચવ્યા ફુલ ની જેમ ..પણ એનાં જ કાંટા ચુભ્યાં છે મને બહુ...ક્યારેક આવુ બોલાઈ જાવાય સંબંધ માટે..સંબંધ એટલે શું ???બે વ્યક્તિ ઓ નાં હ્રદય ની વચ્ચે બાંધેલો એવો બંધ કે જે સુંવાળો હોય, શાણપણ વાળો હોય, અને સમજણ વાળો હોય..એમાં એક પણ તડ પડે ને તો એ બંધ ને ટુટતા વાર નથી લાગતી..કેટલાયે ઘરો માં સાંભળ્યું છે કે ભાઈ- ભાઈ ને બોલવાના વ્યવહાર નથી હોતા..ભાઇ -બહેન નાં બોલવાના વ્યવહાર નથી હોતા..અરે એક ઘર માં રહીને દીકરો માતા પિતા સાથે બે વર્ષ થી વાત નથી કરતો..મને વિચાર આવે કે એવા કેવા ઝગડા થયા હશે કે આટલા અબોલા હોઈ શકે બે જણ વચ્ચે..પણ હા આ એક કડવું નગ્ન સત્ય છે કે આવુ બને છેં..જે માતા એ જન્મ આપ્યો એની સાથે દીકરા વાત નથી કરતા હોતા...અને જે ભાઈ- ભાઈ અને ભાઇ- બહેન, સાથે મોટા થયા હોય અને જ્યારે નાના હતા ત્યારે જે બધુ પોતાનાં ભાઈ બહેનો ને આપી દેવાની વ્રુતી ધરાવતા હોય છે એ અચાનક બદલાઈ જાય છે ...અને સામે મળે તો બોલવાના વ્યવહાર નથી હોતા...બધાએ એકબીજા સાથે ન બોલવાના સમ લઈ લીધા હોય છેં...અરે એવા કેવાં ઝઘડા હોય કે આટલું વેર....બધા એકબીજાને મલ્યાં છે તો કોઇ રૂણાનુબંધ ને લીધે જ તો..એ રૂણાનુબંધ પુરુ કરવા ની બદલે આપણે પાછુ એન બાકી રાખીયે છે અને પાછા આવતા જન્મ માં મળવાનું નક્કી કરી લઈયે છેં...સારા સારા ઘરો માં આ બધુ જોવા મળે છેં...અને કોઈ નાં પેટ નાં પાણી એ નથી હલતા..હવે તો એવુ પણ સંભળાય છે જ્યારે કોઇ સંબંધ ટુટે છે ત્યારે કે એમાં શું આ તો ઘરે ઘરે જોવા મળે છે ..અરે પણ તારા ઘર માં શું કામ થયું એ વીચાર ને ...કેટલાયે ઘર એવા છે કે લોકો ફક્ત એકબીજા માટે જ જીવે છે એ ઘર નાં દાખલા લે ને...જે ઘર માં આવુ થતુ હોય એ લોકો નાં સંબધી ઓ ને વિનંતી છે કે ચુપ ન રહેતા.કારણકે સંબંધ જોડાવા માટે જો તમે નીમીત્ત થશો તો તમને અનેક જાત્રા ઓ કરતા વધારે પુણ્ય મળશે...અને એક એક વ્યકતી ઓ ને કહુ છુ કે ન ફાવે તો ઓછુ બોલો પણ સંબધ જોડાવા ની કોશીષ કરો ...કારણ સમય નીકળશે એમ એમ એ સંબધ દુર થતા જશે...પછી જોડાવું શક્ય નથી...કોઇ પણ સંબંધ હોય એ..મિત્રતા નો હોય કે લોહી નો હોય...વધારે દીકરા વાળી મા વધારે દુખી એ પણ એક હકીકત છેં...એની માટે બધા દીકરા સરખા હોય છેં પણ એ લોકો એ જ માતા ને કહે છે કે તને હુ વહાલો નથી...આવુ બોલીને હે દીકરા ઓ માતા ને ગાળ ન આપો...કારણકે માતા એ એ બધા બાળકો વખતે પ્રસવ ની વેદના સરખી જ ભોગવી હતી..અને એટલા જ ધયાન થી નવ મહીના પોતાને સંભાળ્યુ હતુ..એક પુરુષ આખી જિંદગી માં સ્ત્રી ની સૌથી વધારે દેખભાળ ત્યારે જ કરે છે જ્યારે એ સ્ત્રી એનાં ગર્ભ માં એના સંતાન ને ઉછેરતી હોય છેં...અને એ જ બાળક મોટો થઈ ને એ જ પિતા ને કહે છે કે આજથી મારે અને તમને સંબધ કાંઇ નહી....લોકો ની વાતો સાંભળી યે ને ત્યારે લખાઈ જવાય છે કે....સંબંધો ને લાગણી સાથે સંબંધ નથી હોતો ..અને મિત્રો ને વફાદારી સાથે સંબંધ નથી હોતો...ટુટે છે ઘડી વાર માં હ્રદય કોઈક નુંએ જાણવા માટે કોઇને સમય નથી હોતો...જિંદગી જીવે રાખવાની છે પુરી કરવા માટેઆ દુનિયા માં આપણે હોઈયે કે ન હોઇયે એનાંથીકોઇ ફરક નથી હોતો..............સંબંધો ને સંભાળવા પડે છે વધારે...અને પ્રેમ ને પંપાળવો પડે છે વધારે...ન સંભાળીયે અને ન સાચવીયે જો સરખાં..તોઆ જ સંબંધો દુખ આપે છે વધારે..............સંબંધો વણસી જાય પછી શું ??અને કંઇક બોલાય જાય પછી શું??હ્રદય માં તીરાડ પડી જાય પછી શું ??અને સંબંધ ટુટી જાય પછી શું ??વસાવ્યા હતા જેમને આંખો માંએ જ ખૂંચવા લાગે ..તો હવે શું ??ચલો જવા દ્યો બધી વાતોહવે તો એ અમારાં રહ્યા નથી હવે શું ??...........કરશે લોકો પથ્થર ની પૂજા..પૂજાવુ હોય તો પથ્થર બની જા...અને આ પથ્થર જેવા માનવી ઓ ની દુનીયા માંજો જીવવું હોય તો હ્રદય વિહોણુ બની જા..મારા છે મારા છે બધા એમ કરી ને જીવતા હતા આટલા વખત થી ,,હવે તો ભ્રમ ને ભાંગી ને હકીકત સમજી જા..............હવે કફન ની જરુરત ક્યાં છે મને...મિત્રો એ બેવફાઈ નું કફન ઓઢાવી દીધુ મને...હવે બે ગજ જમીન ની જરુરત ક્યાં છે મને બળવા માટેપોતાનાં ઓ એ એમનાં શબ્દો થી બાળી નાખી છે મને..ચિંતા ન કરો એ દોસ્તો , જે હજી મારા છો..હુ તમારી જ છું ,ત્યાં સુધી, જ્યાં સુધી બેવફા નહી બનો તમે.....

નીતા કોટેચા....

હવે પોતે રખેવાળ બનો...

આપણો દોષ આપણે ક્યારે બીજાં પર ઢોળવાનું બંધ કરશું..આપણે ત્યાં કાંઇ પણ થાય આપણે કહેશું કે પાકીસ્તાન એ કર્યું...કારણ કે એ તો આપણાં મા થી નીકળેલ દેશ છે ને...એટલે એને કહેવાય કાંઇ પણ.. અરે પોતાની ભૂલ તો ગોતો..પણ અહીયા તો બધાને પોતાનુ ઘર ભરાય છે કે નહી એની ચિંતા હોય છે ને...બધે બાજુ બસ પૈસા ખાવાના..ભલે ને કોઇ ગેર કાયદે ઘુસે છે આપણાં દેશ માં...મને શું??? મને આપતા જાય છે ને પૈસા..હુ મારી આંખો બંધ કરી લઈશ..પાકીસ્તાન એ કદાચ કર્યુ પણ હોય ચલો એ પણ માની લઈયે પણ આપણે શું કરતા હતા??આપણાં નેતા ઓ શું કરતા હતા..આપણાં ચોકીદારો શું કરતા હતા..??હા હમણાં તો તેઓ રાજ ઠાકરે માં વ્યસ્ત હતા ને...બીચારાં ક્યાં ક્યાં ધ્યાન આપે...છેલ્લાં કેટલાક વખત થી તો આ ચાલુ હતું...પહેલાં બાળાસાહેબ એ મુસલમાનો ને આગળ કર્યાં અને હવે ભત્રીજા એ બીહારી ઓ ને..અરે આ તો આપણાં જ દેશ નાં બચ્ચાં છે ભઈ..એ લોકો ને આવતા રોકો છો ..આતંકવાદી ઘુસી ગયા ત્યાં સુધી શું કર્યું??એને અટકાવવાની તાકાત રાખોને...શુંકામ સાદાં સીધાંલોકો નાં મગજ માં ઝેર ભરો છો...મુસલમાનો માટે તો ઝેર ભરાઈ ગયુ છેં...મારી દીકરી ની ૪ friends કે જે મહારાષ્ટ્રીયન...વર્ષો નો સાથ એક બીજાનો..કેટકેટલી વાતો મા ચર્ચા થાય બધાં વચ્ચે...પણ કોઈ દિવસ કોઇવાત પર એવો ઝગડો ન થાય કે અબોલા ન થાય..હમણાં જ્યારે આ હુમલો થયો.મુંબઈ માં sms ફરતા થયાં..કે ક્યાં છે રાજ ઠાકરે ની સેના..એને કહો મુંબઇ ને બચાવનાર માં ૨૦૦ જુવાન આવ્યા હતા એ બધા એ જ બાજુનાંહતા જે લોકો ને એ અહીંયાથી ભગાવવાની કોશિશ કરે છેં..મારી દીકરી એ યાદ રાખીને એ sms એ friends ને ન મોકલાવ્યો..કે એમને દુખ થાશે..પણ એણે એ વાત એના orkut નાં 1 st પાના પર લખી..એ friends નો ફોન આવ્યોં કે વીંધી યે તુમને જાનબુજકર હમે સુનાને કે લીયે લીખા હૈ..વીધી એ એને બહુ સમજાવવાની કોશિશ કરી..કે તુ શું કામ આટલું બધુ વિચારે છેં આટલુંસમજ એ એક નેતા છે અને એ ફકત જાત પાત નુનામ લઈને આપણાં મગજ અને લાગણી ઓ સાથે રમે છેં..પણ એ માનવા તૈયાર નથી..એનાં મગજ માં એકદમ બેસી ગઇ છે એ વાત કે મરાઠી ઓ ને જ તે ખરાબ કહ્યા,અને હવે વાત પણ કરવાની બંધ કરી નાંખી છેં...આ નેતા ઓ નાં કામ..આટલા જુવાન બાળકો નાં મગજ માં રાઈ ભરાવી નાંખી કે મરાઠી એટલે કાંઈકખાસ..રસ્તા પર મે સાંભળ્યું છે મરાઠી છોકરાઓ નેબોલતા કે અવાજ મત કર નહી તો બુલાતા હૈ અભી રાજ ઠાકરે કો..નેતા ઓ ને ખબર છે આમ જ આતંકવાદી ઓ નાં જનમ થતાહશે..પોતાની જાત પોતાનાં ધર્મ માટે આટલું જનુનન ભરો...એ લોકો ને જીવવા દ્યો શાંતિ થી...શું કામ કુમળી વય નાં બાળકો નાં મગજ ને ખરાબ કરો છોં..એમાં આપણાં નેતા ઓ ...કોઈક નાં લખેલા પ્રવચન જોઇને બોલતા આવડે પણ એમનેએમ એ લોકો સારુ નથી બોલી શકતા એ નક્કી થઈ ગયું ..કારણકે જોયા વગર નુ એ લોકો કેવુ બોલે છે એ દેખાઈ ગયુ...આ આપણાં નેતા ઓ...નરેન્દ્ર મોદી કહે છે કે અમેરીકા ની જેમ આપણે હવે આપણા પર હલ્લો ન થાય એ ધ્યાન રાખવાનું છેં..અરે મારા ભાઈ મુંબઈ માં થયુ ત્યારે આ અક્કલ આવી ગુજરાત માં થયુ ત્યારે આ શાણપણ ક્યાં ગયુ હતું.પણ પાછું બીજા ની ભુલ કેમ શોધવી?? ..હુ બધાને કહુ છુ કે આ વાચ્યાં પછી કોઇ મારી સાથે વાત કરવા ન આવે કે નરેન્દ્ર મોદી કેવા વ્યક્તી છેં હુ નથી કહેતી કે તેઓ ખરાબ છેં પણ એમની માટે કહુ એટલે આખુ ગુજરાત મારા પર બોલવાનું શરૂ થઈ જાય છેં..આપણે જાગ્રુત થવાનું છે કે તેઓ પણ એક નેતા છેં...એ મુંબઈ નાં રાજ ઠાકરે હોય કે ત્યાંનાં હોય..હવે બધાં એ વિચારવાનો સમય આવી ગયો છે..તમારે ત્યાં કોઇ ને ઘર ભાડા પર રહેવા આપ્યું હોય જરા એને ચકાસો..તમને કાંઇ અજુગતુ લાગે જરા એની વાત જઈને પોલીસ ને કરો..હવે એ લોકો પણ બધી વાત માં સહકાર આપશે...અને ન આપે તો જઇને મીડ ડે વાળા ઓ ને લખાવી આવો કે આવુ થયુ છે અને એ પોલીસ સાંભળતી નથી..હવે આપણે જ આંખો ખુલ્લી રાખવી પડશે અને ચોકી પહેરો ભરવો પડશે...અને છેલ્લે આપણાં દેશ નાં એ જુવાનો ને સલામ કે જે લોકો શહીદ થયા અને એ લોકો ને પણ જેમણે જાન ની ચિંતા કર્યા વગર આપણને બચાવ્યાં..

નીતા કોટેચા

આ લોકો ફક્ત એક જનુની આતંકવાદી છે

આ લોકો ની કોઈ જાત નથી..આ લોકો નો કોઈ ધર્મ નથી..કોઇ ન કહો કે એ મુસ્લિમ છે કે બીજાં કાંઇ છે..આ લોકો ફક્ત એક જનુની આતંકવાદી છે ..એ કોઇ પણ દેશ નાં હોઇ શકે છે...આ બચ્ચાં જે આવ્યા છે એ ૧૭ થી ૨૨ વર્ષનાં છે..ભણતર ઇંગ્લેડ માં થયું છે..વિચારી ને જુઓ જરા કે,એમની મગજ ની કેવી હાલત કરી હશે એમના થી ઉપરના ઓ એ કે,એ લોકો મરવું છે એ નક્કી કરીને આવ્યા છેં..મને તો દયા આવે છે આ બાળકો પર...એમને સીખડાવનાર બીજા છેં..આપણું બાળક બગડે તો વાંક આપણો હોય્...બાળક નો નહી ..એમ આ લોકો ને પોતાનાં જીવન ની કાંઇ ચીંતા નથી ..હદ કહેવાય..શું હશે આ લોકો નું જીવન..ક્યારેક વિચારીયે તો ભેજુ કામ નથી કરતુ...

નીતા કોટેચા