Sunday, June 7, 2009

પ્રાર્થના


એક મંદિર માં જવાનું થયુ॥ત્યાં જોયુ બધા આંખ બંધ કરી ને પ્રાર્થના કરતા હતા।મને વિચાર આવ્યો કે ભગવાન ની મુર્તી તો દેખાય નહી, તો શું આનંદ આવે॥પ્રાર્થના પુરી થઇ એટલે મે બે ત્રણ જણ ને ઉભા રાખી ને પુછ્યુ કે "મને જરા કહેશો કે, કેમ તમે આંખ બંધ રાખો ?
જવાબ
૧) આંખ બંધ રાખીયે તો આપણને આપણા પાપ બરોબર દેખાવા લાગે તો એની માફી માંગી શકીયે।
૨) ભગવાન નાં મુખ પર નજર નથી ટક્તી જરા તાપ લાગે છે। આપણે જ એટલા પાપી છે, તો એમનાં મુખ સામે જોઈ નથી શકાતુ। એટલે આંખ પોતે જ બંધ થઈ જાય છે.
૩) કોણ આવ્યું ?કોણ ગયું? એમાં જીવ જાય છે . પછી પ્રાર્થના માં જીવ નથી રહેતો.એટલે આંખ જ જો બંધ રાખીયે તો કાંઇ ચિંતા તો નહી, શું થાય છે મંદિર માં...
મને એમ થયુ કે બધા કહે કે મંદિર માં જવાથી શાંતી મલે છે પણ મને એમ લાગે છે મંદિર માં પણ શાંતી ત્યારે જ મલતી હશે જો ભગવાન અને આપણા પોતાના સિવાય ત્યા ત્રીજુ કોઇ હોય જ નહી..



નીતા કોટેચા

No comments:

Post a Comment