Sunday, June 7, 2009

ઉફફફ આ બોર્ડ ની પરીક્ષા

હમણાં મુંબઈ માં ૧૦ માં ની બોર્ડ ચાલે છે..કાલે એમની ભૂગોળ ની પરીક્ષા હતી..અમારા જ ગામ માં ઘાટકોપર માં જ એક દીકરી એ કોપી કરતા પકડાણી અને એની હોલટીકીટ લઈ લેવામાં આવી ..કદાચ ખાલી ડરાવવા માટે લીધી હોય કે જે હોય એ..પણ એ દીકરી એટલી ડરી ગઈ કે એણે ૧૦ માં માળે જઈને અગાસી માં થી પડતું મૂક્યું અને મૃત્યુ પામી ..અમે કોઇ સુઈ નથી શક્યાં..કે આ શું છે ??આટલું શું કામ ચીંતા..શું ૧૦ મુ ધોરણ એ જિંદગી ની છેલ્લી પરીક્ષા છેં..મહેરબાની કરીને બધાં બાળકો ને પણ કહુ છું કે જિંદગી બહુ મોટી છે અને એમાં લાખો રસ્તા છેં..આજે ભણેલા ઓ પણ રસ્તે ફરે છેં..તો આવુ કોઇ પગલું ના ભરતા..માતા પિતા ની શું હાલત થાય છે તમને ખબર નથી..જિંદગી માં જ્યારે પણ આવા વિચાર આવે કોઇક ને ફોન કરો એમની સાથે વાત કરો..કોઇ માતા પિતા માટે તમારથી વધારે પરીક્ષા નહી હોય...મહેરબાની કરીને આવુ પગલું કોઇ ન ભરતા...એમનાં માતા પિતા નાં નહી પણ અમારાં આંસું પણ નથી સુકાતા કાલ થી...મારી દીકરી પણ આ જ વર્ષે ૧૦ માં ની પરિક્ષા આપે છે..
સાથે બધાં બાળકો ને પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભકામના.ને આશીર્વાદ..ગુજરાત નાં બધા બાળકો ને પણ શુભકામના...
અને મમ્મી પપ્પા ને વિનંતી કે જરા સંભાળજો...


નીતા કોટેચા...

પણ આજે બધા મનાવશે સ્ત્રી મુક્તી દિન ..સારુ ચલો આપણે પણ મનાવીયે

સ્ત્રીમુક્તી દિન્..
કેવો અજબ લાગે ને આ શબ્દ...
કે સ્ત્રી ઓ ને હજી મુક્તી દિન માટે રાહ જોવી પડે છે...
અને પાછુ એમાં પણ સ્ત્રી ઓ એ સાંભળવુ પડે કે કમાવાની લાલચ માં સ્ત્રીત્વ ગુમાવે છેં..
પહેલા કહેવાતુ કે સ્ત્રી ઓ ઘર સંભાળે અને પુરુષો કમાઈને લાવે...
હવે તો પરણવા નીકળતા પહેલા દાદા કોણ હતા અને મામા કોણ હતા એ નથી પુછાતુ..કઈ કંપની મા કામ કરે છે અને પગાર કેટલો છે દીકરી નો, એમ પુછાય છેં..
આ સુધરેલો સમાજ ..પહેલા પોતે જ બહાર મોકલાવે અને પછી પોતે જ કહેતા હોય છે કે આજ કાલ તો બધાને બસ કમાવુ છે ..હવે પહેલા જેવા દિવસો ક્યાં..
બધી સ્ત્રી ઓ ને વિનંતી કે આપણે એક બીજા ને માન આપીયે તોય સારુ ..નહી તો સાસુ ઓ હજી પણ વહુ ની બુરાઇ કરતી હોય છે અને એમાં પુરુષો ફાયદો ઉપાડતા હોય છે...
અરે શું કામ ઉજવો છો ..સ્ત્રી ઓ જેવી પહેલા ગુલામ હતી એવી જ આજે છે..કાંઇ જ ફરક નથી ...
બસ હવે કમાવા સાથે ગુલામ છે.પહેલા ઘરમાં બેસીને ગુલામ હતી..
આજે પણ સ્ત્રી ઓ પર એટલી જ બુમા બુમી થાય છે..એટલા જ મેણા ટોણા મરાય છેં..
હજી આજે પણ ભાઇ નાં, પપ્પા નાં અને પતિ ના મુડ પર એનો દિવસ સારો જશે કે નહી એ આધાર રાખે છે...
આજે પણ એ સાસરા વાળા ઓ થી ગભરાય છે..
પોતાની મરજી ના હિસાબે એ જરા પણ જીવી નથી શક્તી..
બધી વાતો છે...ખોટા દિવસો ઉજવવવાનું બંધ કરો...
પુરુષ પ્રધાન દેશ નહી પણ પુરુષ પ્રધાન દુનિયા છેં...
હમણા જ એક બહેન પાસેથી સાંભળ્યું ,એ બેંક માં મેનેજર છેં...
બહુ રુબાબ છે એનો બેંક માં ..બધા સાથે પ્રેમ થી કામ લે છે ..પણ તોય લોકો એને માન પણ આપે છે અને કમાય પણ સારુ એવુ...
પણ ઘરે આવે એટલે ધમપછાડા હોય..
જગડા જ જગડા હોય..
જરા પણ શાંતી નથી જિંદગી માં..
હવે એ કેવી રીતે મનાવે સ્ત્રીમુક્તી દીન ..જો એક દિવસ કોઇ મનાવે તો પણ અને કઈ રીતે ખુશ થાય . ..કોઇ એને કહેતુ નથી કે કામ મુકી દે અને બધા એની પર બુમો પણ પાડે છે કે તુ કામ કરે છે એટલે ઘર આખું અસ્તવ્યસ્ત છે...
સ્ત્રી ઓ પોતાનું માન પોતે જ જાળવવુ જોઇયે એવુ પણ કહેવાય છે કેવી રીતે??
નાના મા નાના કામ માટે હજી ઘર ના ઓની રજા લેવી પડતી હોય છે..
બધી વાતો છે...
નાની નાની વાતો છે પણ બહુ ઓછી જગ્યાએ નારી પોતાનું ચલાવે છેં...
આજે પણ દીકરી ને પરણાવતા વખતે દીકરા વાળા ઓ ને બોલતા સાંભળ્યું છે કે અમારે ભણાવવાનો બહુ ખર્ચ થયો છેં...
આજે પણ T.V માં બાલીકા બધુ અને લાડો જેવી સીરીયલ દેખાડવા માં આવે છે શું કામ ??
કારણ હજી ક્યાંક ને ક્યાંક આ બધુ ચાલે છે..અને આ સીરીયલ જોઈયે છે ત્યારે માનસિક આઘાત લાગે છે કે આ શું??
ચલો નસીબ સારા કે આપણે આ નથી જોવુ પડતુ પણ ક્યાંક તો આ ચાલે છે જ ને..
આજે પણ સંભળાય છે કે દીકરી ૨૧ વર્ષ ની થાય એટલે પરણાવી દેવી જોઈયે ...કમસેકમ નક્કી તો કરી જ નાખવું જોઇયે...
અરે પણ જીવવા દ્યો એને...
એક દીકરી નો જીવવાનો હેતુ શું એક જ છે કે એને પરણાવી દેવી જોઇયે...
ક્યાંક કાંઇ ફરક નથી પડ્યો...
બધે બાજુ જેમ આડંબર ની દુનિયા છે એમજ અહીયા પણ એ જ દુનિયા છે...
એટલા બધા સાચ્ચા ઉદાહરણ છે કે જે જો બધા સાંભળે તો એમ થાસે કે આવુ પણ હજી બને છે જિંદગી માં??
પણ હા હજી સ્ત્રી ઓ સાથે એટલા અત્યાચાર થાય છે કે અરેરાટી થઈ જાય...
અને પાછું મારું લખાણ વાંચીને બધા કહેશે કે નીતા બહેન તમે બસ આવુ જ લખો.
પણ શું કરું મારાથી નથી રહેવાતુ ચુપ અને નથી જીવાતી ખોટી દેખાડાની દુનિયા...
પણ હવે દિવસ આવ્યો છે તો બધી બહેનો તો એકબીજા નું માન વધારી જ શકે છે ને...
પણ આજે બધા મનાવશે સ્ત્રી મુક્તી દિન ..સારુ ચલો આપણે પણ મનાવીયે..


નીતા કોટેચા...

પણ આજે બધા મનાવશે સ્ત્રી મુક્તી દિન ..સારુ ચલો આપણે પણ મનાવીયે

સ્ત્રીમુક્તી દિન્..
કેવો અજબ લાગે ને આ શબ્દ...
કે સ્ત્રી ઓ ને હજી મુક્તી દિન માટે રાહ જોવી પડે છે...
અને પાછુ એમાં પણ સ્ત્રી ઓ એ સાંભળવુ પડે કે કમાવાની લાલચ માં સ્ત્રીત્વ ગુમાવે છેં..
પહેલા કહેવાતુ કે સ્ત્રી ઓ ઘર સંભાળે અને પુરુષો કમાઈને લાવે...
હવે તો પરણવા નીકળતા પહેલા દાદા કોણ હતા અને મામા કોણ હતા એ નથી પુછાતુ..કઈ કંપની મા કામ કરે છે અને પગાર કેટલો છે દીકરી નો, એમ પુછાય છેં..
આ સુધરેલો સમાજ ..પહેલા પોતે જ બહાર મોકલાવે અને પછી પોતે જ કહેતા હોય છે કે આજ કાલ તો બધાને બસ કમાવુ છે ..હવે પહેલા જેવા દિવસો ક્યાં..
બધી સ્ત્રી ઓ ને વિનંતી કે આપણે એક બીજા ને માન આપીયે તોય સારુ ..નહી તો સાસુ ઓ હજી પણ વહુ ની બુરાઇ કરતી હોય છે અને એમાં પુરુષો ફાયદો ઉપાડતા હોય છે...
અરે શું કામ ઉજવો છો ..સ્ત્રી ઓ જેવી પહેલા ગુલામ હતી એવી જ આજે છે..કાંઇ જ ફરક નથી ...
બસ હવે કમાવા સાથે ગુલામ છે.પહેલા ઘરમાં બેસીને ગુલામ હતી..
આજે પણ સ્ત્રી ઓ પર એટલી જ બુમા બુમી થાય છે..એટલા જ મેણા ટોણા મરાય છેં..
હજી આજે પણ ભાઇ નાં, પપ્પા નાં અને પતિ ના મુડ પર એનો દિવસ સારો જશે કે નહી એ આધાર રાખે છે...
આજે પણ એ સાસરા વાળા ઓ થી ગભરાય છે..
પોતાની મરજી ના હિસાબે એ જરા પણ જીવી નથી શક્તી..
બધી વાતો છે...ખોટા દિવસો ઉજવવવાનું બંધ કરો...
પુરુષ પ્રધાન દેશ નહી પણ પુરુષ પ્રધાન દુનિયા છેં...
હમણા જ એક બહેન પાસેથી સાંભળ્યું ,એ બેંક માં મેનેજર છેં...
બહુ રુબાબ છે એનો બેંક માં ..બધા સાથે પ્રેમ થી કામ લે છે ..પણ તોય લોકો એને માન પણ આપે છે અને કમાય પણ સારુ એવુ...
પણ ઘરે આવે એટલે ધમપછાડા હોય..
જગડા જ જગડા હોય..
જરા પણ શાંતી નથી જિંદગી માં..
હવે એ કેવી રીતે મનાવે સ્ત્રીમુક્તી દીન ..જો એક દિવસ કોઇ મનાવે તો પણ અને કઈ રીતે ખુશ થાય . ..કોઇ એને કહેતુ નથી કે કામ મુકી દે અને બધા એની પર બુમો પણ પાડે છે કે તુ કામ કરે છે એટલે ઘર આખું અસ્તવ્યસ્ત છે...
સ્ત્રી ઓ પોતાનું માન પોતે જ જાળવવુ જોઇયે એવુ પણ કહેવાય છે કેવી રીતે??
નાના મા નાના કામ માટે હજી ઘર ના ઓની રજા લેવી પડતી હોય છે..
બધી વાતો છે...
નાની નાની વાતો છે પણ બહુ ઓછી જગ્યાએ નારી પોતાનું ચલાવે છેં...
આજે પણ દીકરી ને પરણાવતા વખતે દીકરા વાળા ઓ ને બોલતા સાંભળ્યું છે કે અમારે ભણાવવાનો બહુ ખર્ચ થયો છેં...
આજે પણ T.V માં બાલીકા બધુ અને લાડો જેવી સીરીયલ દેખાડવા માં આવે છે શું કામ ??
કારણ હજી ક્યાંક ને ક્યાંક આ બધુ ચાલે છે..અને આ સીરીયલ જોઈયે છે ત્યારે માનસિક આઘાત લાગે છે કે આ શું??
ચલો નસીબ સારા કે આપણે આ નથી જોવુ પડતુ પણ ક્યાંક તો આ ચાલે છે જ ને..
આજે પણ સંભળાય છે કે દીકરી ૨૧ વર્ષ ની થાય એટલે પરણાવી દેવી જોઈયે ...કમસેકમ નક્કી તો કરી જ નાખવું જોઇયે...
અરે પણ જીવવા દ્યો એને...
એક દીકરી નો જીવવાનો હેતુ શું એક જ છે કે એને પરણાવી દેવી જોઇયે...
ક્યાંક કાંઇ ફરક નથી પડ્યો...
બધે બાજુ જેમ આડંબર ની દુનિયા છે એમજ અહીયા પણ એ જ દુનિયા છે...
એટલા બધા સાચ્ચા ઉદાહરણ છે કે જે જો બધા સાંભળે તો એમ થાસે કે આવુ પણ હજી બને છે જિંદગી માં??
પણ હા હજી સ્ત્રી ઓ સાથે એટલા અત્યાચાર થાય છે કે અરેરાટી થઈ જાય...
અને પાછું મારું લખાણ વાંચીને બધા કહેશે કે નીતા બહેન તમે બસ આવુ જ લખો.
પણ શું કરું મારાથી નથી રહેવાતુ ચુપ અને નથી જીવાતી ખોટી દેખાડાની દુનિયા...
પણ હવે દિવસ આવ્યો છે તો બધી બહેનો તો એકબીજા નું માન વધારી જ શકે છે ને...
પણ આજે બધા મનાવશે સ્ત્રી મુક્તી દિન ..સારુ ચલો આપણે પણ મનાવીયે..


નીતા કોટેચા...

મનન

આજે મનન ને તાવ આવે ચાર દિવસ થઈ ગયા..પણ તાવ ઉતારવાનું નામ જ ન હોતો લેતો.. હવે સ્વપ્નીલ અને સંધ્યા થી સહન નહોતુ થતુ..આખરે એમણે DR. ને કહ્યુ હવે આપણે મનન ને હોસ્પિટલ માં દાખલ કરીયે તો કેમ રહેશે??
Dr. એ ના પાડી કે ના એવી કોઇ જરુરત નથી..ઉતરી જશે..
પણ હવે બન્ને માન્યા નહી અને મનન ને સારા મા સારી હોસ્પીટલ માં દાખલ કરવા મા આવ્યો..
ઉમર નાની હતી..ખાલી સાત વર્ષ નો હતો મનન..
મનન ને સરખી રીતે હોંશ નહોતો આવતો...
નીંદર મા એનો બબડાટ ચાલુ જ હતો...
શું બોલતો હતો કોઇને ખબર પડતી ન હતી....
આખરે Dr।માતા પિતા ને પોતાની off॥ માં બોલાવ્યાં॥અને પુછ્યું કે "મને સમજાવો કે જ્યારે એને તાવ આવ્યો॥એનાં આજુબાજુ નાં દિવસો માં તમારા ઘરમાં શું શું થયું હતુ??
સ્વપ્નીલ એ કહ્યુ "એવુ કાંઇ ખાસ નહોતુ થયું..બસ અમારા બન્ને વચ્ચે નો ઝગડો થયો હતો..એ તો ચાલે રાખે...
Dr.. ભડકી ગયા..."ચાલે રાખે એટલે..તમારી કાંઇ જવાબદારી છે કે નહી...તમને કાંઇ અક્કલ છે કે નહી...ઝગડૉ શુ હતો એ મને કહો હવે....."
સ્વપ્નીલ શાંત થઈ ગયો...એણે કહ્યુ "એ દિવસે મારી પત્ની નાં પિયર મા મારા સાસરા વાળા ઓ એ પુજા રાખી હતી...અને અમારા વચ્ચે ઝગડો હતો કે આમંત્રણ આપવા માટે કોનો ફોન આવ્યોં?? અને સંધ્યા એ મને કહ્યું કે તમને જોઇયે તો મનન ને પૂછી લ્યો કે મમ્મી અને પપ્પા બન્ને નો ફોન આવ્યો હતો..અને મે મનન ને હચમચાવી નાંખ્યો હતો કે સાચુ બોલ,મમ્મી એ જ તને ખોટુ બોલવાનું કહ્યુ હશે... અને એ ડરી ગયો અને એની મમ્મી ની પાછળ છુપાઈ ગયો હતો...અને અમે પૂજા માં ગયા નહી ..અને સંધ્યા રડતા રડતા સુઇ ગઇ.....રાતના અમે સુઈ ગયા અને સવારનાં જોયુ તો મનન ની આવી હાલત હતી..."
અને Dr..એ જોરથી ટેબલ ઉપર હાથ પછાડી ને કહ્યુ, "તમારા લોકો માં અક્કલ છે કે નહી ..તમારી વાત ને સાચ્ચી અને ખોટી કરવા માટે તમે એક બાળક નો સહારો લીધો...શરમ આવવી જોઇયે તમને બન્નેને.."
સ્વપનીલ અને સંધ્યા ને પોતાની ભુલ સમજાણી...
મનન નો તાવ હજી ઉતરતો ન હતો...
છેલ્લે Dr. એ કહ્યું આનો એક જ રસ્તો છે...તમે તમારી પત્ની નાં પિયરીયા ને બોલાવો..અને એ સાંભળે એમ હસતા હસતા વાતો કરો..
સ્વ્પનીલ સાસરે ગયો...સાસુ સસરા ની માફી માંગી અને Dr... એ કહેલી બધી વાત કહી..એનાં સાસુ સસરા તરત જ એની સાથે હોસ્પિટલ માં પહોચ્યાં અને જેમ Dr..એ કહ્યુ હતુ એમ જ એ લોકો એ કર્યું...
અને મનન ને તો પણ બીજા ત્રણ દિવસ સારા થવામા નીકળી ગયા...
સારુ થયા પછી પહેલો સવાલ મનન નો હતો કે...પપ્પા ગુસ્સા માં નથી ને મમ્મી..???
પણ હવે એની તબીયત એકદમ સારી હતી...આજે રજા લેવાની હતી...
સ્વપ્નીલ અને સંધ્યા DR..પાસે ગયા...DR..એ કહ્યું તમારી માટે જે નાની વાત છે એ બાળકો માટે બહુ મોટી વાત હોય છેં..એ લોકો ઝગડા સહેન નથી કરી સક્તા...
તો મહેરબાની કરીને સંભાળજો....
એ દિવસ થી એમને જીવવાની રીત બદલાવી નાંખી અને હંમેશ ઘર માં ખુશ્ખુશાલ વાતાવરણ રાખવા લાગ્યાં...
બાળકો ને ખુબ જ પ્રેમ થી ઉછેરવુ જરુરી છે....
આપણાં અભિમાન માં અને માન અપમાન નાં ચક્કર માં બાળકો પિસાતા હોય છેં અને આપણને ખબર પણ પડતી નથી હોતી...
બાળકો નાં મન ને વાંચી ને જિંદગી જીવવુ જરુરી છે...નહી તો પ્રભુ એ આપેલુ ફુલ કરમાઈ જતા વાર નહી લાગે...અને એ અપમાન આપણે પ્રભુ નું કર્યુ કહેવાશે...


નીતા કોટેચા...

સંબંધ

આજકાલ લગન નાં દિવસો ચાલી રહયાં છેં..એક એક પ્રસંગ માં જઈયે ત્યારે દુખી થવાય છે જ્યારે જોઈયે કે એ જ ઘર નો એક ભાઈ ન ત્યાં હાજર ન હતો..અને ક્યાંક જોવા મળે કે કોઇની બહેન નહોતી ...ક્યાંક તો માતા પિતા જ હાજર ન હોય...ત્યારે જે લખાઈ જાય છે એ લખ્યું છેં..જો આ લેખ વાંચીને કોઇ એક ઘર નો સંબધ પણ પાછો પહેલા જેવો થઈ જશે તો મને આંનદ થાશે..જોડણી ની ભુલ ન જોતા..વાત ને સમજવા ની કોશીષ કરશો તો મને વધારે ગમશે..બધા પોતાનાં સગા ઓ ને આઅ લેખ મોકલાવજો જેની સાથે તમારે સંબધ ટુટી ગયો હોય કદાચ બધુ સારુ થઈ જાય..બસ થોડુ જતુ કરવાની ભાવના આપણે પણ રાખવી જ પડશે..સંબંધો એ શમણા રચાવ્યા બહુ હતા...અને હવે સંબધો મ્રુત્યું પામ્યા છે બધા..સંબંધો ને સાચવ્યા ફુલ ની જેમ ..પણ એનાં જ કાંટા ચુભ્યાં છે મને બહુ...ક્યારેક આવુ બોલાઈ જાવાય સંબંધ માટે..સંબંધ એટલે શું ???બે વ્યક્તિ ઓ નાં હ્રદય ની વચ્ચે બાંધેલો એવો બંધ કે જે સુંવાળો હોય, શાણપણ વાળો હોય, અને સમજણ વાળો હોય..એમાં એક પણ તડ પડે ને તો એ બંધ ને ટુટતા વાર નથી લાગતી..કેટલાયે ઘરો માં સાંભળ્યું છે કે ભાઈ- ભાઈ ને બોલવાના વ્યવહાર નથી હોતા..ભાઇ -બહેન નાં બોલવાના વ્યવહાર નથી હોતા..અરે એક ઘર માં રહીને દીકરો માતા પિતા સાથે બે વર્ષ થી વાત નથી કરતો..મને વિચાર આવે કે એવા કેવા ઝગડા થયા હશે કે આટલા અબોલા હોઈ શકે બે જણ વચ્ચે..પણ હા આ એક કડવું નગ્ન સત્ય છે કે આવુ બને છેં..જે માતા એ જન્મ આપ્યો એની સાથે દીકરા વાત નથી કરતા હોતા...અને જે ભાઈ- ભાઈ અને ભાઇ- બહેન, સાથે મોટા થયા હોય અને જ્યારે નાના હતા ત્યારે જે બધુ પોતાનાં ભાઈ બહેનો ને આપી દેવાની વ્રુતી ધરાવતા હોય છે એ અચાનક બદલાઈ જાય છે ...અને સામે મળે તો બોલવાના વ્યવહાર નથી હોતા...બધાએ એકબીજા સાથે ન બોલવાના સમ લઈ લીધા હોય છેં...અરે એવા કેવાં ઝઘડા હોય કે આટલું વેર....બધા એકબીજાને મલ્યાં છે તો કોઇ રૂણાનુબંધ ને લીધે જ તો..એ રૂણાનુબંધ પુરુ કરવા ની બદલે આપણે પાછુ એન બાકી રાખીયે છે અને પાછા આવતા જન્મ માં મળવાનું નક્કી કરી લઈયે છેં...સારા સારા ઘરો માં આ બધુ જોવા મળે છેં...અને કોઈ નાં પેટ નાં પાણી એ નથી હલતા..હવે તો એવુ પણ સંભળાય છે જ્યારે કોઇ સંબંધ ટુટે છે ત્યારે કે એમાં શું આ તો ઘરે ઘરે જોવા મળે છે ..અરે પણ તારા ઘર માં શું કામ થયું એ વીચાર ને ...કેટલાયે ઘર એવા છે કે લોકો ફક્ત એકબીજા માટે જ જીવે છે એ ઘર નાં દાખલા લે ને...જે ઘર માં આવુ થતુ હોય એ લોકો નાં સંબધી ઓ ને વિનંતી છે કે ચુપ ન રહેતા.કારણકે સંબંધ જોડાવા માટે જો તમે નીમીત્ત થશો તો તમને અનેક જાત્રા ઓ કરતા વધારે પુણ્ય મળશે...અને એક એક વ્યકતી ઓ ને કહુ છુ કે ન ફાવે તો ઓછુ બોલો પણ સંબધ જોડાવા ની કોશીષ કરો ...કારણ સમય નીકળશે એમ એમ એ સંબધ દુર થતા જશે...પછી જોડાવું શક્ય નથી...કોઇ પણ સંબંધ હોય એ..મિત્રતા નો હોય કે લોહી નો હોય...વધારે દીકરા વાળી મા વધારે દુખી એ પણ એક હકીકત છેં...એની માટે બધા દીકરા સરખા હોય છેં પણ એ લોકો એ જ માતા ને કહે છે કે તને હુ વહાલો નથી...આવુ બોલીને હે દીકરા ઓ માતા ને ગાળ ન આપો...કારણકે માતા એ એ બધા બાળકો વખતે પ્રસવ ની વેદના સરખી જ ભોગવી હતી..અને એટલા જ ધયાન થી નવ મહીના પોતાને સંભાળ્યુ હતુ..એક પુરુષ આખી જિંદગી માં સ્ત્રી ની સૌથી વધારે દેખભાળ ત્યારે જ કરે છે જ્યારે એ સ્ત્રી એનાં ગર્ભ માં એના સંતાન ને ઉછેરતી હોય છેં...અને એ જ બાળક મોટો થઈ ને એ જ પિતા ને કહે છે કે આજથી મારે અને તમને સંબધ કાંઇ નહી....લોકો ની વાતો સાંભળી યે ને ત્યારે લખાઈ જવાય છે કે....સંબંધો ને લાગણી સાથે સંબંધ નથી હોતો ..અને મિત્રો ને વફાદારી સાથે સંબંધ નથી હોતો...ટુટે છે ઘડી વાર માં હ્રદય કોઈક નુંએ જાણવા માટે કોઇને સમય નથી હોતો...જિંદગી જીવે રાખવાની છે પુરી કરવા માટેઆ દુનિયા માં આપણે હોઈયે કે ન હોઇયે એનાંથીકોઇ ફરક નથી હોતો..............સંબંધો ને સંભાળવા પડે છે વધારે...અને પ્રેમ ને પંપાળવો પડે છે વધારે...ન સંભાળીયે અને ન સાચવીયે જો સરખાં..તોઆ જ સંબંધો દુખ આપે છે વધારે..............સંબંધો વણસી જાય પછી શું ??અને કંઇક બોલાય જાય પછી શું??હ્રદય માં તીરાડ પડી જાય પછી શું ??અને સંબંધ ટુટી જાય પછી શું ??વસાવ્યા હતા જેમને આંખો માંએ જ ખૂંચવા લાગે ..તો હવે શું ??ચલો જવા દ્યો બધી વાતોહવે તો એ અમારાં રહ્યા નથી હવે શું ??...........કરશે લોકો પથ્થર ની પૂજા..પૂજાવુ હોય તો પથ્થર બની જા...અને આ પથ્થર જેવા માનવી ઓ ની દુનીયા માંજો જીવવું હોય તો હ્રદય વિહોણુ બની જા..મારા છે મારા છે બધા એમ કરી ને જીવતા હતા આટલા વખત થી ,,હવે તો ભ્રમ ને ભાંગી ને હકીકત સમજી જા..............હવે કફન ની જરુરત ક્યાં છે મને...મિત્રો એ બેવફાઈ નું કફન ઓઢાવી દીધુ મને...હવે બે ગજ જમીન ની જરુરત ક્યાં છે મને બળવા માટેપોતાનાં ઓ એ એમનાં શબ્દો થી બાળી નાખી છે મને..ચિંતા ન કરો એ દોસ્તો , જે હજી મારા છો..હુ તમારી જ છું ,ત્યાં સુધી, જ્યાં સુધી બેવફા નહી બનો તમે.....

નીતા કોટેચા....

હવે પોતે રખેવાળ બનો...

આપણો દોષ આપણે ક્યારે બીજાં પર ઢોળવાનું બંધ કરશું..આપણે ત્યાં કાંઇ પણ થાય આપણે કહેશું કે પાકીસ્તાન એ કર્યું...કારણ કે એ તો આપણાં મા થી નીકળેલ દેશ છે ને...એટલે એને કહેવાય કાંઇ પણ.. અરે પોતાની ભૂલ તો ગોતો..પણ અહીયા તો બધાને પોતાનુ ઘર ભરાય છે કે નહી એની ચિંતા હોય છે ને...બધે બાજુ બસ પૈસા ખાવાના..ભલે ને કોઇ ગેર કાયદે ઘુસે છે આપણાં દેશ માં...મને શું??? મને આપતા જાય છે ને પૈસા..હુ મારી આંખો બંધ કરી લઈશ..પાકીસ્તાન એ કદાચ કર્યુ પણ હોય ચલો એ પણ માની લઈયે પણ આપણે શું કરતા હતા??આપણાં નેતા ઓ શું કરતા હતા..આપણાં ચોકીદારો શું કરતા હતા..??હા હમણાં તો તેઓ રાજ ઠાકરે માં વ્યસ્ત હતા ને...બીચારાં ક્યાં ક્યાં ધ્યાન આપે...છેલ્લાં કેટલાક વખત થી તો આ ચાલુ હતું...પહેલાં બાળાસાહેબ એ મુસલમાનો ને આગળ કર્યાં અને હવે ભત્રીજા એ બીહારી ઓ ને..અરે આ તો આપણાં જ દેશ નાં બચ્ચાં છે ભઈ..એ લોકો ને આવતા રોકો છો ..આતંકવાદી ઘુસી ગયા ત્યાં સુધી શું કર્યું??એને અટકાવવાની તાકાત રાખોને...શુંકામ સાદાં સીધાંલોકો નાં મગજ માં ઝેર ભરો છો...મુસલમાનો માટે તો ઝેર ભરાઈ ગયુ છેં...મારી દીકરી ની ૪ friends કે જે મહારાષ્ટ્રીયન...વર્ષો નો સાથ એક બીજાનો..કેટકેટલી વાતો મા ચર્ચા થાય બધાં વચ્ચે...પણ કોઈ દિવસ કોઇવાત પર એવો ઝગડો ન થાય કે અબોલા ન થાય..હમણાં જ્યારે આ હુમલો થયો.મુંબઈ માં sms ફરતા થયાં..કે ક્યાં છે રાજ ઠાકરે ની સેના..એને કહો મુંબઇ ને બચાવનાર માં ૨૦૦ જુવાન આવ્યા હતા એ બધા એ જ બાજુનાંહતા જે લોકો ને એ અહીંયાથી ભગાવવાની કોશિશ કરે છેં..મારી દીકરી એ યાદ રાખીને એ sms એ friends ને ન મોકલાવ્યો..કે એમને દુખ થાશે..પણ એણે એ વાત એના orkut નાં 1 st પાના પર લખી..એ friends નો ફોન આવ્યોં કે વીંધી યે તુમને જાનબુજકર હમે સુનાને કે લીયે લીખા હૈ..વીધી એ એને બહુ સમજાવવાની કોશિશ કરી..કે તુ શું કામ આટલું બધુ વિચારે છેં આટલુંસમજ એ એક નેતા છે અને એ ફકત જાત પાત નુનામ લઈને આપણાં મગજ અને લાગણી ઓ સાથે રમે છેં..પણ એ માનવા તૈયાર નથી..એનાં મગજ માં એકદમ બેસી ગઇ છે એ વાત કે મરાઠી ઓ ને જ તે ખરાબ કહ્યા,અને હવે વાત પણ કરવાની બંધ કરી નાંખી છેં...આ નેતા ઓ નાં કામ..આટલા જુવાન બાળકો નાં મગજ માં રાઈ ભરાવી નાંખી કે મરાઠી એટલે કાંઈકખાસ..રસ્તા પર મે સાંભળ્યું છે મરાઠી છોકરાઓ નેબોલતા કે અવાજ મત કર નહી તો બુલાતા હૈ અભી રાજ ઠાકરે કો..નેતા ઓ ને ખબર છે આમ જ આતંકવાદી ઓ નાં જનમ થતાહશે..પોતાની જાત પોતાનાં ધર્મ માટે આટલું જનુનન ભરો...એ લોકો ને જીવવા દ્યો શાંતિ થી...શું કામ કુમળી વય નાં બાળકો નાં મગજ ને ખરાબ કરો છોં..એમાં આપણાં નેતા ઓ ...કોઈક નાં લખેલા પ્રવચન જોઇને બોલતા આવડે પણ એમનેએમ એ લોકો સારુ નથી બોલી શકતા એ નક્કી થઈ ગયું ..કારણકે જોયા વગર નુ એ લોકો કેવુ બોલે છે એ દેખાઈ ગયુ...આ આપણાં નેતા ઓ...નરેન્દ્ર મોદી કહે છે કે અમેરીકા ની જેમ આપણે હવે આપણા પર હલ્લો ન થાય એ ધ્યાન રાખવાનું છેં..અરે મારા ભાઈ મુંબઈ માં થયુ ત્યારે આ અક્કલ આવી ગુજરાત માં થયુ ત્યારે આ શાણપણ ક્યાં ગયુ હતું.પણ પાછું બીજા ની ભુલ કેમ શોધવી?? ..હુ બધાને કહુ છુ કે આ વાચ્યાં પછી કોઇ મારી સાથે વાત કરવા ન આવે કે નરેન્દ્ર મોદી કેવા વ્યક્તી છેં હુ નથી કહેતી કે તેઓ ખરાબ છેં પણ એમની માટે કહુ એટલે આખુ ગુજરાત મારા પર બોલવાનું શરૂ થઈ જાય છેં..આપણે જાગ્રુત થવાનું છે કે તેઓ પણ એક નેતા છેં...એ મુંબઈ નાં રાજ ઠાકરે હોય કે ત્યાંનાં હોય..હવે બધાં એ વિચારવાનો સમય આવી ગયો છે..તમારે ત્યાં કોઇ ને ઘર ભાડા પર રહેવા આપ્યું હોય જરા એને ચકાસો..તમને કાંઇ અજુગતુ લાગે જરા એની વાત જઈને પોલીસ ને કરો..હવે એ લોકો પણ બધી વાત માં સહકાર આપશે...અને ન આપે તો જઇને મીડ ડે વાળા ઓ ને લખાવી આવો કે આવુ થયુ છે અને એ પોલીસ સાંભળતી નથી..હવે આપણે જ આંખો ખુલ્લી રાખવી પડશે અને ચોકી પહેરો ભરવો પડશે...અને છેલ્લે આપણાં દેશ નાં એ જુવાનો ને સલામ કે જે લોકો શહીદ થયા અને એ લોકો ને પણ જેમણે જાન ની ચિંતા કર્યા વગર આપણને બચાવ્યાં..

નીતા કોટેચા

આ લોકો ફક્ત એક જનુની આતંકવાદી છે

આ લોકો ની કોઈ જાત નથી..આ લોકો નો કોઈ ધર્મ નથી..કોઇ ન કહો કે એ મુસ્લિમ છે કે બીજાં કાંઇ છે..આ લોકો ફક્ત એક જનુની આતંકવાદી છે ..એ કોઇ પણ દેશ નાં હોઇ શકે છે...આ બચ્ચાં જે આવ્યા છે એ ૧૭ થી ૨૨ વર્ષનાં છે..ભણતર ઇંગ્લેડ માં થયું છે..વિચારી ને જુઓ જરા કે,એમની મગજ ની કેવી હાલત કરી હશે એમના થી ઉપરના ઓ એ કે,એ લોકો મરવું છે એ નક્કી કરીને આવ્યા છેં..મને તો દયા આવે છે આ બાળકો પર...એમને સીખડાવનાર બીજા છેં..આપણું બાળક બગડે તો વાંક આપણો હોય્...બાળક નો નહી ..એમ આ લોકો ને પોતાનાં જીવન ની કાંઇ ચીંતા નથી ..હદ કહેવાય..શું હશે આ લોકો નું જીવન..ક્યારેક વિચારીયે તો ભેજુ કામ નથી કરતુ...

નીતા કોટેચા

ક્યાં ખોવાઈ ગયા

આપણે અંદર અંદર જગડવાનું બંધ કરશુ તો જ બહાર વાળા ફાયદો નહી ઉઠાવે...કયાં છે રાજ ઠાકરે ભાઈ કે, જે જવાન નેતા છે કાંઇક બદલાવ લાવશે એમ વિચારીને એમને વોટ આપ્યો હતો..અને એ ભારત નાં જ ભાગલા કરાવા બેઠા..૨ દિવસ થી તો ક્યાંય પત્તો નથી એ ભાઈ નો...મારુ ..મારુ મુંબઇ કરીને... બુમો પાડતા હતા.હવે મુંબઈ ની હાલત ખરાબ છે ત્યારે ક્યાં ખોવાઈ ગયા????

નીતા કોટેચા

આતંક વાદ શું છે?

હંમેશા જ્યારે આ ઘટના થાય ત્યારે આપણે આ બધી ચર્ચા કરતા હોઈયે છે..પણ બે દિવસ પછી આપણે બધુ ભુલી જાઈયે છેંં..ઘરનાં ડાઇનીંગ ટેબલ પર બેસી દાળઢોકળી ખાતા ખાતા આપણે આપણા સીસ્ટમ ની બુરાઈ ગોતીયે છેં..અરે ૯.૫ ની લોકલ મોડી આવે તો આપણે કહીયે છે કે શું કરે છે આપણી સરકાર...ભઈલા તે શું કર્યુ અત્યાર સુધી દેશ માટે એ તો કહે..એક જુલ્મ ની વિરુધ્ધ અવાજ ઉઠાવાની તાકાત તો છે નહી ..પણ સરકાર શું કરે છે એ બોલતા જાણે બરોબર આવડી ગયુ છેં...ત્યાં હમલા ચાલતા હોય તો એક સમય નું ભોજન આપણે છોડી નથી શક્તા...અને વાતો મોટી મોટી કરતા આવડે છે ખાલી...અરે એ લોકો મર્યા છે ..ચલ હવે એની માટે કાંઇક ભેગુ કરીને એના ઘર સુધી તો પહોચાડી આવ...ના એ તો સરકાર સંભાળશે ને..અરે ભઈલા એમની આત્મા ને શાંતી મળે એ પ્રાર્થના તો કર..અરે સમય ક્યાં છેં...હવે એમણે સારુ કામ કર્યુ છે તો એમનુ સારુ જ થાશે ને...મારે તો મારા બચ્ચા ઓ ને સંભાળવા પડશે ને...અરે ભઇલા તો શું કામ સીસ્ટમ ની રામાયણ કરે છેં..કમસેકમ મુંગો તો રહે...એટલુ તો કરી જ શકે છે તુ...આપણે તો મુંગા રહીને પણ આપણા દેશ ને સાથ નથી આપતા..અરે નેતા ઓ કાંઇ નથી કરતા ચલો માન્યુ કે એ કાંઇ નથી કરતા..તો તે એ ખુરશી પર બેસવાની ક્યારેય મહેનત કરી ..ના...બસ ખાલી વાતો વાતો ને વાતો...આપણે કહીયે કે શું ધ્યાન રાખે છે આપણા માણસો કે આમ આ લોકો ગુસી આવે છે ...મને કહો કે ક્યાં ક્યાં ધ્યાન રાખે એ લોકો..આટલો મજબુત દેશ પન એમનુ W.T.C નહોતા બચાવી શક્યાં..મહેરબાની કરીને હુ બધા ને કહુ છુ કે પોતાની છાપ પાડવા માટે કે મને બોલતા સારુ આવડે છે ક્યાંય પણ ઉભા રહીને ચાલુ ન થઈ જાવ..પહેલા પોતે વિચારો કે મે કાંઇ ફાળો આપ્યો છે...પછી જ તમને બોલવાનો હક્ક છેં...આ મારી વિનંતી ગણો તો વિનંતી અને આક્રોશ ગણો તો આક્રોશ...

નીતા કોટેચા

ઓબામા

ગાંધીજી જ્યાં હશે ત્યાં ખુશ થતા હશે કે, ક્યાકનાં પણ કાળીયાએ આખરે ગોરીયા ઓ નુ હ્રદય જીતી જ લીધુ.મને તો એમ થાય છે કે ઓબામા, ગાંધીજી તો નથી ને...

નીતા કોટેચા...

શું કરવુ જોઈયે ???

મારી એક friend છેં, એણે એક સંત ને કે એક મુની ને, મારે એ બાબત ચોખવટ નથી કરવી..
પણ એણે એક વ્યક્તી ને પોતાનાં ગુરુ તરીકે માન્યા છેં...હવે તેને ખબર પડી કે, એ વ્યક્તી બહુ ખોટા કામ કરે છેં... મને કહે શું કરુ?મે કહ્યુ "એને છોડી દે..."તો કહે "ના ગુરુ તો જિંદગી ભર એક જ હોવા જોઈયે..."
મે પુછ્યું "પછી ભલે એ ખોટું કરે"..
તો કહે "હા,વારે વારે બદલાવાય નહી.."મે કહ્યુ "આવો નિયમ કોણે બનાવ્યો છેં?"તો કહે "કોઇએ નહી... પણ આપણો પતિ કાંઇ ખોટું કરે તો આપણે ચલાવીયે જ છે ને???અને પત્ની ખોટું કરે તો પતિ પણ ચલાવી લે છે....તો ગુરુ નું કેમ નહી.... "શું જવાબ આપવો????કારણ, પતિ અને પત્ની ધર્મ ના રખેવાળ નથી હોતા એટલે એમની ભુલ ક્ષમા ને યોગ્ય છેં ...પણ ગુરુ ખોટું કરે તો પણ કેમ એના વિરુધ્ધ આપણે જતા નથી.. એ કોઈ પણ ધર્મ ના હોય????????શું આપણે, ગુરુ થી ડરીયે છે એટલે????આપણે એમને પ્રેમ કરીયે છે એટલે???કેઆપણે એક આંધળો ભરોસો એમના પર કરી દીધો છે એટલે????ગુરુ ની ભૂલ ને, પતિ અને પત્ની ની ભૂલ સાથે સરખામણી મા લેવાય???


નીતા કોટેચા

બાળમાનસ

ટીવી માં આવતી સીરીયલો મા થી બાળકો શું વિચારે છેં એ પણ જાણવા જેવું છેં...
મમ્મી પપ્પા નો આગ્રહ હતો કે એમનાંબાળકો રોજ આવતી સીરીયલ રામાયણ અને મહાભારત જોવે..
પોતાંને તો સમય હોય નહી એટલે એ લોકો સંસ્કાર એ ડબ્બા મા થી લેવા માટે કહે..
આવા જ એક ઘર માં મારે જવાનું થયું..
બાળકો બેઠા બેઠા સીરીયલ જોતા હતા..
સીરીયલ પુરી થઈ...
જાણે એક home work પુરુ કર્યું એવો ભાવ મે બચ્ચાઓનાં મોઢાં પર જોયો..
મમ્મી પપ્પાવખાણ કરતા હતા કે અમે તો આ એક આદત રાખી જ છે કે આ સીરીયલ તો જોવાની જ...
બધા વાતો માં પડ્યા..
હુ બધાની નજર બચાવીને બચ્ચાઓ પાસે ગઈ...
મે પુછ્યું "તમને કઈ વાત વધારે ગમી આ સીરીયલ માં"
તો કહે "રામાયણ માં મને તો હનુમાન જી બહુ ગમ્યા.
અને મહાભારત માં મને બધા જ ગમ્યાં..."
મે પુછ્યુ " શું ન ગમ્યું ?"
તો જે જવાબ મલ્યો એ સાંભળીને મને બહુ જ અચરજ થયું
મને એ બચ્ચા ઓ "કહે કે અમને એક વિચાર આવે છેં પણ કહીયે કોને...?"
મે કહ્યું "મને કહો.."
તો કહે "રામાયણ માં યુધ્ધ થયું, કારણ કે રાવણ, સીતા માતા નું હરણ કરી ગયાં હતા...
અને મહાભારત માં યુધ્ધ થયું...કારણકે પાંચાલી નું અપમાન થયું હતુ...
તો અમનેએમ વિચાર આવે છે કે તેઓ રામ ભગવાનનાં પત્ની હતા અને ત્યાં પાંડવો નાં પત્ની હતા એટલે આ યુધ્ધ થયું..પણ આખાં ગામ માં જો બીજી કોઇ ની પત્ની સાથે આ થયું હોત તો આ યુધ્ધ થાત?
અને બીજાં કેટલાં લોકો એ યુધ્ધ માં મરણ પામ્યા..તો શું એ લોકો ને તકલીફ નહી થઈ હોય...."
શું જવાબ આપુએ મને પણ ન સમજાણું...
ત્યારે તો મને કોઈકે બોલાવ્યું એટલે મારે ત્યાં થી ચાલ્યું જવું પડ્યું..પણ હવે જ્યારે એ બાળકો પાછાં મળશે ત્યારે એ લોકો મને પૂછશે તો હું શું જવાબ આપું???
શું આપ લોકો આ બાળમાનસ માને એવો કોઇ જવાબ આપી શકશો મને???
અને શું એ લોકો નાં વિચાર ને ખોટો ગણાવાય??
કે પછી પાછું હંમેશ ની જેમ એનેચુપ કરી દેવા નાં કે તને ન સમજણ પડે...
કે પછી માતા પિતા એ શીખવા જેવુ છે કે જ્યાં બાળકો નાં સવાલો નાં સમાધાન થાય એવી જ જગ્યાએ એમને આપણાં સંસ્કાર આપવા માટે મોકલાવો..નહી તો આવા કેટલાક સવાલો એમને જિંદગી ભર હેરાન કરશે...


નીતા કોટેચા

નોનવેજ ભાગ (૨)

નોનવેજ માટે મે જે વાત લખી હતી એમાં બહુ ઓછાં લોકો એ પોતાનાં પ્રતિ ભાવ આપ્યા..તો મને થયુ કે કદાચ વધારે લોકો ખાતા હશે એટલે જ પ્રતિ ભાવ નથી આવ્યા..પણ ૫ દિવસ રહીને મને mail આવવાના શરૂ થયાં...એમાંથી જે mail થી હ્રદય ને વધારે દુખ થયુ એ આપને જણાવું છું...એક વડીલ બા નો mail આવ્યો..નીતા, કેટલાં વખત થી જે વાત મારા મનમાં ચાલતી હતી અને જે હું કોઈને નહોતી કહી શકતી એ આજે તે કહી દીધી....મારા દીકરા,વહુ એમનાં બાળકો અને મારી દીકરી જમાઈ બધાં જ ખાય છેં મને બહુ દુખ થાય છેં પણ કોઈ માનતું નથી....હુ આ વાત ને લયને ખૂબ જ દુખી થાવ છું પણ એમને કાંઇ કહેવા જેવું નથી રહ્યુ હવે એ લોકો મોટાં થઈ ગયાં છે ને...બીજો MAIL આવ્યોંહું એક ૮૦ વર્ષ ની ઉમર નો દાદો છું...અને મરવા ની રાહ જોવ છુંનીતા, દીકરા તને એમ થશે કે હું થું કામ આવું કહુ છું પણ ઘર મા આ નોનવેજ ની વાસ સહન નથી થતી ઘરમા ખાવાનું નથી ભાવતું. તોય એ લોકો નું જમવાનું થઈ જાય પછી હું ઘરે આવું.નીતા જ્યાં સુધી તારા દાદી જીવતા હતા ત્યાં સુધી એ મને અલગ જમ્વાનું બનાવી આપતા હતાં,પણ હવે તો મારે એ જ વાસણ માં બનાવેલું ખાવું પડે છે ..અને હું એમને કહુ છું કે મને વ્રુધ્ધાશ્રમ માં મૂકી આવો તો એમની ઇજ્જત જાય છેં...જીવવું ભારે થઈ ગયું છે...મને એમનાં આંસું જાણે mail માં દેખાતા હતા...મને એ નથી સમજાતુ કે જે બાળકો ને આપણે નાનપણથી હાથ માં રાખીને મોટાં કર્યા આપણે જેને આપણે જ બંધુ સીખડાવ્યું...એ જ બાળકો હવે આપણી શું હાલત હોય એ કેમ ન સમજે...અને કેમ આપણી વાત ન માને..એ લોકો કેમ નથી સમજતા કે કોઈ દિવસ પણ એ લોકો માતા..પિતા કરતા મોટાં તો નહી જ થઈ શકે...
નીતા કોટેચા

અને મારી પાસે આનો કોઇ જવાબ ન હતો...

અમારુ મિત્ર વર્તુળ નાનુ છે પણ મજાનું છેં ...અમે લોકો બધા જ્યારે મલીયે ત્યારે કોઇ ને કોઇ વાત પર અમે બધા ચર્ચા કરીયે...અને કોઇ એક વાત પર સર્વ સમંતી થી નક્કી કરીયે કે હા આ બરોબર છેં અમારા બાળકો પણ અમારી સાથે એ ચર્ચા માં ભાગ લે...ખુબ આંનદ આવે....એ ચર્ચા ક્યારેક રાજકરણ પર હોય....
ક્યારેક સાસુ વહુ પર હોય
ક્યારેક સાથે રહેવુ સારુ કે અલગ રહેવુ સારુ એના પર હોય...
ક્યારેક આપણે ક્યાંક્યાં સ્વાર્થ આપનાવ્યો છેં એના પર હોય....
ક્યારેક બધા પોતાનાં ગુન્હા કબુલ કરે એવો દિવસ રાખીયે....
આવુ કાંઇક નવુ કરતા રહીયે...જ્યારે મલીયે ત્યારે...
ક્યારેક એ મુલાકાત મહીના માં એક વાર થાય તો ક્યારેક એ મુલાકાત છ મહીને એક વાર થાય....
પણ ગમે, બધાનાં વિચારો જાણવા મળે.....
આપણા બાળકો શું વિચારો ધરાવે છે એ ખબર પડે...
અમારા મિત્ર વર્તુળ માં એક જોડી મુસલમાન છે...
હમણા જ્યારે છેલ્લે મલ્યાં ત્યારનો વિષય હતો કે નોનવેજ ખાવુ જોઇયે કે નહી ....
અમારી ચર્ચા આ પ્રમાણે હતી....
મે કહ્યુ ક્યારેય ન ખવાય ....એની માટે વિચારવુ પણ પાપ છેં .....
અમારા મુસલમાન મિત્ર નું કહેવુ હતુ કે અમાર ધર્મ માં એને પાપ નથી ગણાતુ તો અમે કેમ માનીયે?
મે કહ્યુ "ધર્મ માં ભલે નથી કહેવાતુ પણ મને એક વાત નો જવાબ આપો તમારુ કાળજુ ન કપાઈ જાય જ્યારે તમારીસામે કોઇ એક માણસ મુરગી ની મુંડી કાપે અને પછી એનાં પીછા કાપે અને અંદર થી ... "
મારાથી આગળ બોલાણુ પણ નહી...
તો અમારા એ મિત્ર એ કહ્યુ કે "જુઓ ભાભી અમને એવુ કાંઇ ન થાય..તો અમે શું કરીયે? "
મને એ વાત નો જવાબ આપો જો તમારી દીકરી ને કોઇ છોકરો પસંદ પડે અને એ નોન વેજ ખાતો હશે તો તમે શું કરશો? "
મે કહ્યુ "મે મારી દીકરી ને સમજાવ્યુ છે કે, જો તમે કોઇ મચ્છી માર્કેટ પાસે થી નીકળો છો તોય તમારાથી એ વાસસહન નથી થાતી તો તમે એવા લોકો નાં ઘર માં કેવી રીતે રહી શકશો.......
તો પ્રેમ કર્યા પહેલા વિચારજો કે તમે તમારુ આખુ જીવન દાવ પર લગાવો છો...... "
અને મે એ મારા એ મિત્ર તરફ જોઇને કહ્યુ કે "મને એક વાત કહો હુ તમને એક દુધ નો ગ્લાસ આપુ અને તમે એ દુધપીતા હો અને તમારા નાક ની નસકોરી ફુટે અને એ લોહી નાક માં જાય તો શું તમે એ દુધ પી જાશો?(આ કોઇ સંત નુબોલેલુ વાક્ય છે જે સાંભળ્યુ હતુ એ ત્યારે યાદ આવી ગયું) "
તો એમણે મોઢુ બગાડ્યુ કે શું ભાભી એ કેમ પીવાય ?
તો મે કહ્યુ તમે તમારુ લોહી નથી પી શક્તા પણ બીજાને ચીરી ને ખાઈ શકો છો?
તો એમની પાસે કોઇ જવાબ ન હતો॥મને એમ થયુ કે હુ એક જણ ને નોન વેજ ખાવામાથી બહાર કાઢી શકી..અને મનમાં રાજી થાતી હતી..
ત્યાં એ ભાઈ બોલ્યા। "મને એક વાત કહો ભાભી વિચારી લ્યો કે તમારી દીકરી જેને પરણી એનાં ઘરમાં નોન વેજખવાતુ હશે તો શું કરશો? "
મે કહ્યુ હુ એનાં ઘર નું પાણી પણ નહી પીવુ .... એને ખાઈ માં પડવુ હોય તો હુ એને બચાવવાની પુરી મહેનત કરીશપણ જો તોય એવુ પાત્ર મલ્યુ તો કમસેકમ હુ તો એનાં ઘર નું પાણી પણ નહી પીવું......
તો એ ભાઈ એ જવાબ આપ્યો ભાભી તો તૈયાર રહેજો તમારી દીકરી નાં ઘર નું પાણી ન પીવા માટૅ...કારણકે આજ કાલ૧૦ માં થી ૮ ગુજરાતી ઓ કદાચ નોનવેજ ખાતા હશે...
અને આજ કાલ નાં બચ્ચાઓ તો બધા જ ખાતા હશે....
અને મને થોડા દિવસ પહેલા જ સાંભળેલી વાત યાદ આવી ગઈ॥કે હકીકત માં એક ગુજરાતી ઘરમાં બાપ અને દીકરીઓ પોતે નોનવેજ બનાવતા હતા.....માતા બનાવી નહોતી ...બનાવવા માટે ના પણ પાડી નહોતી શક્તી..... કારણકેએ લોકો એ કહી દીધુ હતુ કે અમે આના વગર નહી જીવી શકીયે......
અને મારી પાસે આનો કોઇ જવાબ ન હતો...

નીતા કોટેચા

શેરબજાર ભાઈ..........................

હમણા શેરબજાર ભાઈ ઉંધે માથે પટકાણા છેં..બધાનાં મોટા દિવસો બગડ્યા છેં આ વખત,આ બજાર વાળા ઓ ની એક વાત મે વર્ષો થી જોઈ છ, કે બજાર ઉપર હોય કે નીચે,અહીયા વાળા હંમેશા દુઃખી જ હોય, એ લોકો શેર્સ લે તો પણ દુઃખી હોય એને વેચે તો પણ દુઃખી હોય...લે તો કહેશે કે, હાય, ભાવ ઉતરી ગયા...હજી નીચેમા મલત..અને વેચે તોય દુઃખી હોય કે, હાય ભાવ વધી ગયા, હજી ઉપરમાં વેચી શકત..કેટકેટલી.....નુકશાની કરે, તોય આનુ વ્યસન એક વાર લાગ્યુ એ આમાથી નીકળી ન શકે...પાછો ત્યાં જ જઈને ઉભો રહે..એમાં હવે બહેનો ને આનુ વ્યસન લાગવા મંડ્યુ છેં..એટલે એમના ઘરનાં બચ્ચાઓ નાં વિષે વિચારો...પહેલા બાપા હારી ને આવતા તો ગુસ્સો ઘર પર નીકળતો. હવે મમ્મી પણ ગુમાવીને આવે એટલે વગર મફત નાં ઓલા ભુલકાઓ નો વારો નીકળે...અને એ લોકો પણ પાછા એવા જ થાય...મોટા થઈને...હું એક સગાનાં ઘરે ગઈ હતી .ત્યાં ચોથા ધોરણ માં ભણતુ એક બચ્ચુ ટીવી જોતુ હતું...હુ એની રુમમાં એને મલવા ગઈ.મને એમ કે એ કાર્ટુન જોતો હશે તો ત્યાં CNBC ચાલુ હતુ.મને એટલુ અચરજ થયું...મે એને પુછ્યુ શું બચ્ચા કેમ ચાલે છ, મજામા?તો એણે હાથનાં ઈશારા થી જવાબ આપ્યો એક મીનીટ ....હુ ઉભી રહી...પછી જરા વાર રહીને મને કહે "હા આંટી જુઓ, એકદમ મજામા"મે પુછ્યુ "શું જોતો હતો?"તો કહે "પપ્પા એ જે શેર્સ લીધા છે એનો ભાવ જોતો હતો.."આજે એમના ભાવ વધ્યા...આજે ઘરમાં રામાયણ નહી થાય...અને પછી પોતે જ હસતો હતો . મને ખબર નહોતી પડતી કે હુ શું બોલુ...એટલી ઉથલ પાથલ મારા હ્રદય માં મચી ગઈ...ભાઈઓ અને બહેનો કોઈ આ બજાર વાળા,ખરાબ ન લગાડે...પણ આપણે થોડુ બદલાવાની જરુરત છે...આપણે આપણા ઘરનું હાસ્ય અને આપણા બચ્ચાઓ નું બાણપણ બેઈ, આમા હોમીયે છેં....

નીતા કોટેચા

પણ માફી માંગવાની કોની?


આખાં વર્ષનું એક દિવસ મા ભેગું જમી શકીયે ?
આખાં વર્ષનાં વિચારો એક દિવસમાં ભેગાં કરી શકીયે ?
આખાં વર્ષનો પ્રેમ એક દિવસમા થઈ શકે?
તો આખું વર્ષ ભૂલ કરી હોય તો, માફી એક વાર માંગવાથી અને એક દિવસ માંગવાથી કેવી રીતે મળી શકે?
જેમ કહેવાય છે કે ગંગાજી માં સ્નાન કરવાથી પાપ ધોવાઇ જાય..આવી જ આ વાત છે.
ઠીક છે ચાલો..એ પણ માન્યું કે માફી માંગવી એ સહેલી વાત નથી..એટલે એક દિવસ નક્કી થયો કે આ દિવસે માંગવાની...
પણ માફી માંગવાની કોની?
આપણો અંતરઆત્મા બધું જાણતો હોય છે કે આપણે સાચ્ચામા કોની માફી માંગવી જોઈયે..આપણે કોને આકરા શબ્દો બોલ્યા છેં...
કોને આપણાં શબ્દોથી દુખ થયુ છેં..
પણ મે છેલ્લાં કેટ્લા વર્ષો થી જોયું છે કે જે બે મિત્રો વર્ષો થી વાત નથી કરતા હોતા એમના અબોલા હજી અકબંધ હોય છે.
બધાં પોત પોતાની રીતે સાચ્ચા જ હોય છેં.
હવે મારો જ દાખલો આપું ને..મને શિવાંસ એ કહ્યુ કે તમે ભૂલ કરો છો..મને કેટલું ખરાબ લાગી ગયું..પણ આજે હું એની માફી માંગું છું કે ભાઈ તુ તારી રીતે સાચો હતો ..મે ખાલી બધાની સામે ચર્ચા કરી.
મને પોતોને કેટલું હલકું લાગે છે મારું મન, પણ હુ ખાલી એક સંદેશ મૂકી દઉ કે સર્વ ને "મિચ્છામિદુક્કડમ"....
એ કોઇ મતલબ નથી રહેતો..મિત્રો જેની સાથે મતભેદ હોય કે મનદુઃખ્ , મહેરબાની કરીને એને "મિચ્છામિદુક્કડમ".... કહેશો..તો આજનો દિવસ સાર્થક થયો ગણાવીશ

નીતા કોટેચા

પ્રાર્થના


એક મંદિર માં જવાનું થયુ॥ત્યાં જોયુ બધા આંખ બંધ કરી ને પ્રાર્થના કરતા હતા।મને વિચાર આવ્યો કે ભગવાન ની મુર્તી તો દેખાય નહી, તો શું આનંદ આવે॥પ્રાર્થના પુરી થઇ એટલે મે બે ત્રણ જણ ને ઉભા રાખી ને પુછ્યુ કે "મને જરા કહેશો કે, કેમ તમે આંખ બંધ રાખો ?
જવાબ
૧) આંખ બંધ રાખીયે તો આપણને આપણા પાપ બરોબર દેખાવા લાગે તો એની માફી માંગી શકીયે।
૨) ભગવાન નાં મુખ પર નજર નથી ટક્તી જરા તાપ લાગે છે। આપણે જ એટલા પાપી છે, તો એમનાં મુખ સામે જોઈ નથી શકાતુ। એટલે આંખ પોતે જ બંધ થઈ જાય છે.
૩) કોણ આવ્યું ?કોણ ગયું? એમાં જીવ જાય છે . પછી પ્રાર્થના માં જીવ નથી રહેતો.એટલે આંખ જ જો બંધ રાખીયે તો કાંઇ ચિંતા તો નહી, શું થાય છે મંદિર માં...
મને એમ થયુ કે બધા કહે કે મંદિર માં જવાથી શાંતી મલે છે પણ મને એમ લાગે છે મંદિર માં પણ શાંતી ત્યારે જ મલતી હશે જો ભગવાન અને આપણા પોતાના સિવાય ત્યા ત્રીજુ કોઇ હોય જ નહી..



નીતા કોટેચા

ક્યારે બદલશું આપણે??????????????






ક્યારેક એવુ પણ થાય કે આપણા મનમાં કંઇક વાત ચાલતી હોય અને એ બીજા કહી દે..એવુ જ મારી સાથે થયું. હમણા હવે ગણેશજી નાં દિવસો આવ્યાં.
મારે જે કહેવુ હતુ એ અખિલ ભાઈ એ બહુ અસરકારક રીતેકહી દીધુ ....કે જે મન પર વધારે અસર કરશે.
જ્યારે લાંબી લાંબી લાઈન લગાડીને દર્શન માટે જાઇયે છીયે ત્યારે બધુ, સારુ સારુ જ લાગે છે..પણ જે મુર્તી ઓ પાસે ઉભા રહીને જિંદગી ભર ની ખુશી માંગીયે છીયે એની હાલત શુ થાય છે એ તો જુઓ..

નીતા કોટેચા


વ્રુધ્ધાશ્રમ

આપણા એક મહાન નેતાને કહેવામાં આવ્યું કે વૃધ્ધાશ્રમનૂ ઉદ્ગાટન તમારે હાથે કરવું છે..તો એમણે ના પાડી.કે જ્યારે વ્રુધ્ધાશ્રમ બંધ કરવું હોય ત્યારે બોલાવજો.એમનો કહેવાનો ભાવાર્થ એમ હતો કે, વૃધ્ધોને એમના સંતાનોના ઘરમાં જ આદરનું સ્થાંન મળવું જોઈએ.તો હવે એ વ્રુધ્ધોનું શું?નાનપણથી બાળકોને પોતાના કોળીયા ખવડાવ્યા. કદી પણ એ ન વિચાર્યું કે પોતાનું શું થશે? પણ બાળકોની ઇચ્છા પૂરી કરી..આખી જિંદગી એમના માટે ખર્ચી નાખી..બાળકને સારામા સારું ભણતર આપ્યું..આને માટે બહારથી વ્યાજ પર પણ પૈસા ઉપાડ્યા.અને આજે બાળક જ્યારે મોટું થાય છે; ત્યારે એમ કહે છે કે, એ તો તમારી ફરજ હતી..પણ પોતાની ફરજ એ ન નીભાવેં. માતાપિતાએ એકલાં રહેવું પડે; અને એમની સાથે રહે, તો હેરાન થઇ જાય..તો વ્રુધ્ધાશ્રમ ખોલવામાં શું શરમ? ..હુ તો એમ કહુ છુ કે, આના જેવુ પુણ્યવાળું કોઈ કામ નહી હોય. જ્યારે સમય મળે ત્યારે એક વાર આટો તો મારો વ્રુધ્ધાશ્રમ નોં... રૂવાંડાં ઉભાં થઈ જશે.મારે એક વાર ત્યાં જવાનું થયુ હતુ. ત્યાં એક વડીલ સાથે વાત થઈ. તે કહે, " બેન! મારા દીકરા વહૂ બન્ને મુંબઈની મોટી હોસ્પીટલમાં બહુ મોટાં ડોકટર છેં. અને અહીયાં હુ બીમાર છું; એની એમને ખબર પણ નથી."મે પુછ્યુ, " કઈ હોસ્પીટલમાં?" આમ કેટલીય વાર પુછ્યુ, તો પણ બોલ્યાં કે "ના! બેન, જવા દ્યો. એમાં એમની બદનામી થશે." માંડ રડવું રોકી શક્યા. ત્યાં હ્રદય માં આવી વાતો ભરેલી હોય. વૃધ્ધાશ્રમ ખોલીને, ત્યાં માન આપીને વડીલોને સાચવો જુઓ. કેવો આનંદ આવે છે! કદાચ મંદિરમા જવાથી ન મળે એવો આનંદ મળશે.

નીતા કોટેચા

હુ હાથ નહીં પણ હૃદયથી લખું છુ.

હું એક લાગણીથી ભરેલી મૂરખ વ્યક્તિ છું; એ મને ખબર છે.
કોઈ મારું કેટલું પણ ખરાબ કરે, તે માટે મને ખરાબ નથી લાગતું.
લોકો મારી ઉપર ગુસ્સો કરે, તો આજની તારીખમાં પણ મને ખરાબ ન લાગે.
મને એમ થાય કે, મારી પર પ્રેમ છે ત્યારે ગુસ્સો કરે છે ને?
પણ હુંય બે હાથ અને બે પગવાળી સામાન્ય વ્યક્તિ છું. ક્યારેક તો મને પણ દુખ થાય.
મારું કહેવું ફક્ત એટલુ જ છે કે, ભાષા બનાવી કોણે?
એનાં નિયમ બનાવ્યા કોણે?
એવીજ રીતે ઉંઝા જોડણી પણ કોઇકે તો બનાવી છે.
તો લોકો જ્યારે ઉઝા જોડણી સાથે ઓરમાયુ વર્તન કરે,
ત્યારે કેમ આપણે ચલાવી લઈએ છીએ?
અને પાછા આપણે માનીએ છીએ કે, આપણે વાંચીએ છીએ, પણ પ્રતિભાવ નથી આપતા.
કેટલી શરમની વાત છે?
અહીંયાં મે હંમેશ પોતાને વિદ્યાર્થીની ગણાવી છે;
કારણકે અહીંયાં માંધાતા જેવા લોકો છે, કે જેમના ચરણસ્પર્શ
કરવા મળી જાય તો પણ આપણો ઉધ્ધાર થઈ જાય.
હુ ફરીથી કહું છું કે ' કોઇ મને કહે કે, તારી જોડણીમાં ભૂલ થાય છે,
તો હુ માથું નમાવીને માનવા તૈયાર છુ.
પણ કોઇ એમ કહે, કે તમારા વાક્યનો કોઇ અર્થ જ નથી નીકળતો;
તો એ તો અપમાન જ છે.
હુ હાથ નહીં પણ હૃદયથી લખું છુ.
મારા લખવા પાછળનો એક જ હેતુ છે કે, ક્યાંક કાંઇક જે ખોટું છે તે
બદલાય.
મોબાઈલનો ઉપયોગ હુ પણ કરું છું; અને વધારે પડતો કરુ છું.
પણ મને ખબર છે કે, એનાં ગેરફાયદા કેવા છે.
તો બસ એ બધાંને બતાવું છું.
એક વડીલ સાથે આપણે વાત કરતા હોઈએ; અને વચમાં કોઇનો
ફોન આવે અને આપણે એમની સાથે એટલા વાત કરવા લાગીએ
કે, આપણે ભુલી જઈએ કે, એ વડીલનું આપણે અપમાન કરી રહ્યા
છીએ .
મારી વાતો બધી જોયેલી અને અનુભવેલી છે.
હુ સોનલબેનની ખૂબ આભારી છું કે, એમણે મને


http://service.vishalon.net/pramukhtypepad.htm.

આની ભેંટ
આપી.
હુ બે દિવસે એક વાત લખીશ; પણ બરોબર મઠારીને લખીશ.
બધાંનો ખૂબ ખૂબ આભાર. હું હજી કહુ છુ કે, મારી ભૂલો કહેતા
રહેજો. એમાં કોઇને ના નથી. પણ બોલતાં પહેલાં હમ્મેશ વિચારવુ
કે, કોને કેટલું ખરાબ લાગી શકે છે. ભગવાને બધાંને હૃદય આપ્યુ
છે. હું તો બધાને વિનંતી કરીશ કે, કોઇને પથ્થર બનવા માટે
મજબુર ન કરશો.
ઉંઝાને અપનાવનારા પણ ભાષાપ્રેમી છે - ઘણા તો ભાષાશાસ્ત્રી છે.
આપણા બાપ કે દાદાની ઉમ્મરના છે. એમનું અપમાન થાય;
એમંને માટે અઘટિત શબ્દો બોલાય , એ બધું શું સારા માણસોને
શોભે છે? એમની ભાવના, મારા જેવી સામાન્ય વ્યક્તિ પણ ભૂલ
વિના લખી શકે તેવા નિયમો બનાવવાની છે. એમનો તો આપણે
આ સેવા કાર્ય માટે આદર કરવો જોઈએ. એમને ત્રાસવાદી,
દુર્યોધન , દુઃશાસન એવા શબ્દો સારા સારા લોકો વાપરે છે, એ
મને બહુ જ ખરાબ લાગે છે. આ સજ્જનતા ન કહેવાય. એમને પણ
લાગણીઓ છે. એ દુભાવીને આપણા લોકો બહુ મોટું પાપ કરી રહ્યાં
છે.
સ્પેલચેકરની વાત તે તો બહુ આનંદના સમાચાર છે - ખાસ તો
મારા જેવા ઓછા જાણકાર માટે. પણ શાળાઓનું શું? સામાન્ય
માણસ કાગળ ઉપર લખે એ ખોટું હોય , તેનું શું? ગામડાંઓમાં,
નાના શહેરોમાં અને જેમની પાસે કોમ્પ્યુટર ન હોય, એવા સામાન્ય
સ્થિતિના માણસોનું શું? એમંને કોણ સાચી જોડણી શીખવશે? અને
ગુજરાતી શીક્ષકો આ માટે કેટલી ચીવટ રાખે છે? એમની પાસે તો
કદાચ જોડણીકોશ પણ નહીં હોય, અને હશે તો કોણ એ બધી
કડાકૂટ કરવા તૈયાર થશે? આપણે આ બધું પણ વિચારીએ તો?

નીતા કોટેચા

લોકોનું બોલવુ


ગુજરાતી લખાણની જોડણીમાં હું બહુ ભૂલો કરુ છુ; એમ મને અવારનવાર કહેવામાં આવેછે. અને એ મને પણ ખબર છે. મને બહુ વખત એમ થયુ કે, ભૂલો ઓછી થઈ જાય તેવી,'ઉંઝા જોડણી' વાપરુ. પણ ઉંઝા જોડણી આપણામાંથી ઘણા લોકોને નથી ગમતી; એટલે એવિચાર પણ પડતો મૂક્યો. હવે મેં સંકલ્પ કર્યો છે કે, હું મારી જોડણી સુધારીને જ જંપીશ.અને ત્યાં સુધી આ બ્લોગ ઉપર લખાણ બંધ. અને જો કદાચ થાકી જઈશ, અને નહીં શીખીશકુ; તો પહેલાં ફક્ત પોતાના માટે જ લખતી હતી, એમ જ લખીશ. બ્લોગ બંધ...બીજુ શું?
કારણકે, મને પણ નથી ગમતુ કે, હુ ભૂલો સાથે લખુ. મને ખબર પડે છે કે, બધાંને કેટલીતકલીફો થાય છે. તો બધાં મારા માટે થોડી દુઆ માંગજો કે, હુ મારી ભૂલોને સુધારી શકુ.હવે મારામાં વધારે ટીકાઓ સાંભળવાની તાકાત નથી રહી. હવે હુ બધાના બ્લોગ વાચીશઅને પ્રતિભાવ પણ મારી રીતે અંગ્રેજી - ગુજરાતીમાં જ આપીશ! આ લખ્યુ એમાં પણ બહુભૂલો હશે; તો એના માટે પણ હુ માફી ચાહુ છુ. કોઈ એમ ન સમજતા કે, મને કાંઇ ખરાબલાગ્યુ છે.


Tamara lakhela vakya nokoi arth nikalto j nathi


દુઃખ આ વાતનું થયુ છે..ભુલો બતાડે એ હુ સ્વીકારવા તૈયાર છું, પણ અપમાન ન સહન થાય મારાથી..
પણ એટલુ જરુર કહીશ કે, જો ભાષાને માતૃભાષા કહેવામાં આવે છે; તો માતા પાસે ભુલોકરવાની બધી છુટ હોય ને? હા, ભાષા સુધારવા પ્રયત્ન જરુરી હોય છે, એટલે એસુધારવાનો સમય માંગુ છુ. હીમ્મત રાખીને, 'ઉંઝા જોડણી જેવો, બધાનું કામ સરળબનાવી દે તેવો, સારો સુધારો શા માટે ન અપનાવવો? ' એમ પણ મને કદીક થાય છે. બધાંએ અપનાવે તો કેટલું સરળ બની જાય?જોઈએ, ભગવાન મારી પાસે શું કરાવે છે?તો ચાલો આવજો બધાં. હવે આપણે ત્યારે જ મળીશુ, જ્યારે હુ મારી ભૂલો સુધારી શકીશ.ત્યાં સુધી અલવિદા.

નીતા કોટેચા

મોબાઈલ પ્રભુ (1)

હમણા એક સખી બિમાર હતી એને જોવા જવાનું થયુ..એને પણ ઘરમા ને ઘરમાં એકલા એકલા કંટાળો આવતો ,તો મને કહે બેસને થોડી વાર ..પછી અમે ગપ્પા મારતા બેઠા હતા. ત્યા એમને મોબાઈલ પર miss call નો મારો ચાલુ થયો..મે પુછ્યુ "કોણ છે?" તો કહે "મારા સગા માં છે એક જણ ..ખબર નહી કેમ miss call આપે છે" મે કહ્યુ "જુઓ કરી જુઓ સામે શું કામ હશે કોને ખબર?" એમને પણ જરા ચીંતા થઈ.. એમણે સામે ફોન કર્યો.. તો એ બેન એ પુછ્યુ "મે સાંભળ્યુ કે તમને ઠીક નથી." તો મારી સામે બેઠેલા બેન એ કહ્યુ "હા જરા તબીયત માં મજા નથી..તમે કેમ miss call આપ્યો હતો " તો કહે "લે તમારી તબીયત ની પુછ્છા કરવા. હવે જ્યારે મારો miss call આવે ત્યારે સમજી લેજો હુ તમને યાદ કરુ છુ..."માંડ માંડ ફોન પુરો કર્યો .અને પછી એમણે મને બધુ કહ્યુ, અને અમે ખુબ હસ્યા.વાહ રે મોબાઈલ પ્રભુ વાહ...

નીતા કોટેચા

મોબાઈલ પ્રભુ(2)

મોબાઈલ ની આદત એટલી વધી રહી છે કે મોબાઈલ,, લોકો માટે એક વ્યસન બની ગયુ છે..
અને એટલી હદે કે, હવે તો સ્મશાન યાત્રા માં પણ લોકો શ્રીરામ શ્રીરામ ની બદલે મોબાઈલ માં વાતો કરતા મલે છે...
એવો ગુસ્સો આવે ને જોઈને કે એ લોકો ને ઉભા રાખી ને કહુ કે, ભાઈ અહીયાં તો શાતી રાખ..
મોબાઈલ ન હતો ત્યારે પણ દુનીયા ચાલતી જ હતી..
પણ હવે તો કર લો દુનીયા મુઠ્ઠી મે..એને એ નથી ખબર, મોબાઈલ એ એને મુઠ્ઠી માં કરી લીધો છે..
આપણી સરકાર એ જ, આની માટે નીયમ બનાવવો જોઈયે .
પણ જો એ ન બનાવે તો પણ આપણે આટલી આમન્યા તો પોતે જ મ્રુત વ્યક્તી ની અને સ્મશાન યાત્રા ની રાખવી જોઈયે ,કે હુ ત્યાં તો મોબાઈલ નહી જ લઈ જાઉ..
નાટક માં જઇયે અને ઓલા દરવાજા પાસે જ બંધ કરાવે તો કેવા બંધ કરી દઈયે..
કોઇ નાં ધંધા અટકી નથી જવાના,નસીબ માં જેટલુ લખ્યુ હશે એટલુ મલીને જ રહેવાનું છે..
વડિલો સાથે વાત કરતા હોઈયે ક્યાંક ભજન માં બેઠા હોઈયે એટલુ સંભાળવાની આપણા બધા માં અક્કલ છે વાપરીયે ન વાપરીયે એ તો આપણી મરજી પર છે ..
પણ લોકો ને હવે મોબાઈલ વગર એક મીનીટ પણ નથી ચાલતુ..
વાહ મોબાઇલ પ્રભુ વાહ તારી લીલા.


નીતા કોટેચા

મરણ નું આંમત્રણ

આજે બહાર જાવાનુ થયુ.મારી આગળ બે ભાઇ ચાલતા હતા.બન્ને કોઇ વાત પર ખુબ ચર્ચા કરતા હતા..
ભાઇ નંબર ૧_ ના હુ નહી આવુ મને કોઇ નો ફોન નથી આવ્યો..
ભાઇ નંબર-૨_ અરે રાતના બનાવ બની ગયો ત્યારે તારો ફોન બંધ આવતો હતો..તો અમે શું કરીયે?
ભાઇ નંબર ૧- અરે તો, હુ રાતના મારો મોબાઈલ બંધ કરી ને સુવ..
ભાઇ નંબર ૨- હા બરોબર છે પણ એમા અમારો શું વાક? જો તુ આજે નહી આવે અફસોસ તને રહેશે..કે તે છેલ્લે એનુ મોઢુ ન જોયુ..હુ જાવ છુ તારી મરજી..એને અમે ૧૦.૩૦ વાગે લઈ જાશુ..
અને મને ખુબ આઘાત લાગ્યો કે, માણસ ને હવે મરણ નું પણ, આમંત્રણ જોઈયે છે..
ક્યાં પહોચશે આ દુનીયા?

નીતા કોટેચા

સ્ત્રી ની જવાબદારી

ઘર માં બે બાળકો હોય, તો એ બે બાળકો વચ્ચે પ્રેમ રહે એ સંભાળવાની જ્વાબદારી માતા પિતા ની હોય છે ।અને એમનાં લગ્ન થયા પછી એ બન્ને વચ્ચે પ્રેમ રહે એ સંભાળવાની જવાબદારી પુર્ણ પણે એમની પત્ની ની હોય છે. જો એ બન્ને વચ્ચે સંપ જાળવી રાખશે તો કોઇ દિવસ ઘરમાં જગડા નહી થાય.. અને એક જ માતા નાં બાળકો વચ્ચે કદી પણ અબોલા નહી થાય..સ્ત્રી ની જવાબદારી બહુ બધી હોય છે...

નીતા કોટેચા

એક આશા

પ્રભુ એક આશા સાથે મનુષ્ય નીચે મોક્લાવતો રહે છેકે ક્યારેક તો એ સુધરશે..પણ ત્યાં તો મનુષ્ય નો પાછો ઉપર જાવાનો સમય થઇ જાતો હોય છે..અને પ્રભુ તોય આપણામાંથી આશા ખોતો નથી..એની હિંમત નાં વખાણ આપણે કરવા જ જોઈયે..


નીતા કોટેચા

કોલસા ની ખાણ

કોઈ વ્યક્તી એમ કહે કે મારા માં કોઇ ખરાબ આદત નથી તો સમજવુ કે અથવા એની પાસે પૈસા નથી અથવા એને મોકો નથી મલ્યો..નહી તો આ તો કોલસા ની ખાણ છે..કોઈ કાળુ થયા વગર રહેતુ જ નથી..અને જો સાચ્ચે જ કોઇ રહી ગયુ હોય તો મારા વંદન છે એમને....
કારણકે વ્યક્તી સમુહ માં અલગ હોય છે અને એકલો હોય ત્યારે અલગ હોય છે..


નીતા કોટેચા

બદલાતા નિયમો

દિવાળી આવે અમાસ ની રાતે, તો એ અમાસ આપણે ઉજવીયે, પણ જો ઘરમાં કોઇ મરણપથારીએ હોય તો એ જ અમાસ આપણને ભારી લાગે॥એવુ કેમ?કેમ દર વખતે આપણે જ નિયમ બદ્લાવતા હોઈયે છીયે..


નીતા કોટેચા

મ્રુત્યુ નો ડર

જેનાં ધ્વાર પાસે મ્રુત્યુ દેવતા ઉભા હોય એને જ જીવન ની સાચી કીંમત ખબર હોય છે, બાકી જે આખો દિવસ કહેતા હોય છે કે મરી જાવુ છે, મરી જાવુ છે એ લોકો ને જ મ્રુત્યુ નો સૌથી વધારે ડર હોય છે..

નીતા કોટેચા

કોઈનાં પ્રેમ નો ફાયદો ન ઉઠાડતા.

પત્ની નાં પીયરીયા જો તમારા ઘરે આવતા ડરતા હોય, તો સમજવુ કે તમારી પત્ની, મન થી તમારી સાથે ખુશ નથી.ભલે એ ફરીયાદ ન કરતી હોય. ભાઈઓ, કોઈનાં પ્રેમ નો ફાયદો ન ઉઠાડતા..લગ્ન જીવન બચાવજો...
અને જો તમારા પિયરીયા તમારા ઘરે બહુ આવતા હોય અને તમારા ઘર વાળા, વધારે ચુપ રહેતા હોય તો સમજવુ કે, ઘર વાળા ને તમારી પ્રત્યે બહુ પ્રેમ છે એટલે એ કાંઇ બોલતા નથી.પણ એ પણ મન થી ખુશ તો નથી જ્..બહેનો, કોઈનાં પ્રેમ નો ફાયદો ન ઉઠાડતા..લગ્ન જીવન બચાવજો
બધુ પ્રમાણ માં સારુ.....


નીતા કોટેચા

આપણી જીત શું એ બીજાની હાર પર જ આધાર રાખે છે.

બહુ વખત મને વકત્રુત્વ ની સ્પર્ધા માં જજ બનીને જાવાનં સૌભાગ્ય પ્રાપ્ત થયુ છે..જ્યારે એક પ્રતિસ્પર્ધી બોલતો હોય ત્યારે એને હુ સાંભળતી હોવ.પણ બીજા પ્રતિસ્પર્ધી ઓ ને હુ વાંચતી હોવ,ત્યારે મે દર વખતે એક વાત જોઈ છે કે જો બોલવા વાળો પ્રતિસ્પર્ધી કાંઇક ભુલી જાય તો બાકીનાં બેઠેલા બધા પ્રતિસ્પર્ધી ઓ નાં ચહેરા પર ખુશી છવાઈ જાય..
આપણી જીત ની ઇચ્છા રાખવી કોઇ ગુન્હો નથી॥પણ શું એ બીજાની હાર પર જ આધાર રાખે છે...


નીતા કોટેચા

રક્ષાબંધન

આજે બધા ખુબ ધુમધામ થી રક્ષાબંધન ઉજવે છે...
પણ જેનાં ભાઈ નહી હોતા હોય એ બહેનો શું?
અને જે ભાઈ બહેન હોતા હશે, એ ભાઈ બહેન વચ્ચે જો બોલવાના સંબધ નહી હોય તો એમાં કમનસીબ કોણ?
ભાઈ કે બહેન?
કે જેનો વાંક હોય એ?


નીતા કોટેચા

૧૫ ઓગષ્ટ




આપણે ૧૫ ઓગષ્ટ મનાવીયે..આપણે સંપ ની વાતો કરીયે..પણ પાછા આપણે ઝઘડા પણ એટલા જ કરીયે..એવુ કેમ્?ટીવી માં જ્યારે પાકિસ્તાન અને ભારત નાં લોકો પ્રેમ થી એકબીજા ને મલે તો આપણા આંખ માં થી ક્યારે અશ્રુ સરી પડે એ આપણને જ ન ખબર પડે.. તો પણ આપણે એક બીજાનાં દુશ્મન કહેવાઈયે,...એવુ કેમ?
લીલો કલર આંખ ને થંડક આપે છે એટલે સવારના બગીચા માં જાવાનુ અને ઝાડ સામે જોવાનુ..કેટલી એ હોસ્પિટલ માં રુમ નાં પડદા એટલે લીલા રાખે જેનાથી આપણને શાંતી મલે... પણ મને તો, લીલો કલર યાદ કરુ, ને પાકિસ્તાન યાદ આવે, પણ હુ જ્યારે આ બોલુ તો કેટલા બધા લોકો ને ઉકળાટ થાય એવુ કેમ?
ક્યાંક એક પિક્ચર માં ડાયલોગ હતો,"પાકિસ્તાની ઓ જ્યાદા મત ઉડો .તુમ હમારે મે સે નીકલે હો, તો હમ બાપ હુવે ઔર તુમ બેટે..
તો બાપ બેટામાં દુશ્મની કેમ?બહુ વાર સાંભળીયુ છે કે કુંટુબ ને કદાચ ન સંભાળાય તો કાંઇ નહી પણ પડોસી સાથે કદી ન બગાડો..પહેલો સગો પડોસી.. તો પછી.....
મારા મોબાઈલ માં ક્રિકેટ ની ગેમ છે..મને એ રમત ખુબ ગમે..હુ આખો દિવસ જ્યારે સમય મલે ત્યારે એ જ રમતી હોવ.એમાં બે ટીમ આપણે જ પંસદ કરવાની હોય..હુ પાકિસ્તાન અને ભારત પંસદ કરુ તો હુ ભારત ને જીતાડવા માટે પાગલ થઈ જાવ.પણ જો ઓસ્ટ્રેલીયા અને પાકિસ્તાન પંસદ કરુ તો ક્યાંક ખુણા માં એમ થાય કે ઓસ્ટ્રેલીયા હારે તો સારુ..એવુ કેમ?
વંદે માતરમ



નીતા કોટેચા


સલાહ

દુનીયા માં બધા એક બીજા ને સલાહ આપતા હોય છે કે સ્વાર્થી ન થવાય।પણ દુનીયા આખી માં થી એક વ્યક્તી મને એવો બતાવો કે જેનામાં સ્વાર્થ ન હોય અને જ સ્વાર્થી ન હોય।એ દુનીયા માં હુ પણ આવી ગઈ.તો બધાને ખબર છે કે, પોતે પણ સ્વાર્થી છે તો શું કામ બીજાને સલાહ આપતા હશે????

નીતા કોટેચા

આપણુ નામ

આપણે કાંઇક મોટુ કાર્ય કરીયે અને આપણુ નામ, જગત જાણવા લાગે। એમ એમ આપણે અભિમાન નાં નશા માં ચકચુર થાતા જઈયે છીયે.અને આપણે આપણી રીતે જીવવા લાગીયે છીયે છે જાણે દુનીયા આપણા લીધે જ ચાલે છે॥એના લીધે દુનીયા ને આપણે ગમતા નથી..અને આપણા હોદ્દા નું અને આપણી કળા નું કોઇ જ માન રહેતુ નથી. એનાં કરતા તો આપણે વધારે નમ્ર બનતા જાઈયે તો આપણ ને જ આપણા હોદ્દા નો અને આપણી કળા નો ભાર નહી લાગે..કદાચ આપણે તો આ નથી સમજતા..પણ કમસેકમ આપણા બાળકો ને આપણે એ સમજાવીયે તો આપણુ ભવિષ્ય જરુર સારુ થાશે..અને એ સારી રીતે જીવન પસાર કરી શકશે...કારણકે આજે લોકો સત્તા નાં નશા માં અને આવડત નાં નશા માં એટલા ડુબેલા છે કે એમની દયા આવે છે કે આ વ્યક્તી આગળ જાતા કેટલો એકલો થઈ જાશે એની એને જ ખબર નથી .

નીતા કોટેચા

કાલે પાછા કમાઈ લઈશ। આ તો ધંધો છે

ભીખારી ને, એક સમય નું, ભોજન આપતા જીવ ન ચાલે,કુટુંબ માં કોઈ ભુખ્યુ સુઈ ગયુ હોય એની તો સાહેબ ને, ખબર પણ ન હોય..મિત્ર ને તકલીફ આવી ખબર પડે તો ધીરે ધીરે દુર થતા જાય કે પાછુ કાંઇ માંગશે તો....પણ શેરમાર્કીટ માં રોજનાં કેટ કેટલા ગુમાવીને બહાર આવે ૩.૩૦ વાગે, ત્યારે પાછા કોલર કડક રાખે કે એમાં શુ? કાલે પાછા કમાઈ લઈશ. આ તો ધંધો છે..

નીતા કોટેચા

ગુસ્સાંમાં હોય ત્યારે એ જે બોલે છે એ જ સાચ્ચુ હોય છે .

લોકો જ્યારે ગુસ્સામાં હોય છે ત્યારે કાંઇ પણ બોલે છે।અને જ્યારે ગુસ્સો શાંત થાય છે ત્યારે એ જ લોકો ને કહેતા સાંભળ્યા છે કે "જાવા દે ને માણસ ગુસ્સા માં હોય, ત્યારે એ શું બોલે છે એનું એને પણ ભાન નથી હોતુ ॥એમાં ખરાબ નહી લગડવાનું" પણ મને તો એવુ લાગે છે કે વ્યક્તી જ્યારે ગુસ્સાંમાં હોય ત્યારે એ જે બોલે છે એ જ સાચ્ચુ હોય છે કે જે એ આમ છુપાડતા હોય છે .


નીતા કોટેચા

મદદ માંગશો તો

કેટકલી પણ તકલીફ હોય તો પણ કદી કોઇ મિત્ર પાસે મદદ ન માંગજો॥
કારણકે મદદ માંગશો તો જીવન મિત્ર વગરનું થઈ જાશે..
બધા મિત્રો ધીરે ધીરે દુર થાતા જાશે..
પછી એ મદદ આર્થીક હોય કે માનસીક....


નીતા કોટેચા

શબ્દો નો માર..

હાથેથી માર ખાવો એના કરતા વધારે અસહ્ય છે કોઇનાં શબ્દો નો માર ખાવો॥હાથ નો માર શરીર ને નુકશાન પહોચાડે છે અને શબ્દો નો માર હ્રદય ને..એનો અર્થ એમ ન કાઢતા કોઇ કે હાથ નો માર આપવાની પરવાનગી મલી ગઈ...બધાની પોતપોતાની જીંદગી છે બધાને પોતાની રીતે જીવવા દ્યો....

નીતા કોટેચા

સાસરે વળાવતી દીકરીને....

સાસરે વળાવતી દીકરીને કાન માં એક વાત જરુર થી કહેશો.
"કે હે મારી દીકરી ,આજે તને પારકા ઘરે મોકલવતા મારુ હ્રદય કાંપે છે, કે એ લોકો તને સાચવશે કે નહી.
દીકરી, જેટલુ સહન થાય એટ્લુ કરજે, પણ જો ન સહન થાય એવુ થઈ જાય તો ક્યારેય પણ પહેલા નાં નિયમો યાદ ન રાખતી અને મ્રુત્યુ નો સહારો ન લેતી.આ ઘર તારુ જ છે અને આના દરવાજા હંમેશા તારી માટે ખુલ્લા છે.આવી જાજે અમે તને એટલો જ પ્રેમ આપશું.


નીતા કોટેચા